________________
૧૪૮
છેવટે જળપૂજાથી શ્રી વીતરાગ પ્રભુ પરમાત્મા પ્રતિ ભકિતરાગની કેળવણી કરવી જરૂરી છે.
આનાથી આપણી જીવનશકિતઓના ઊર્ધ્વમુખી વિકાસમાં અવરોધ કરનારા મોહના તત્ત્વને ખસેડવાનું આદર્શ બળ ખીલે છે.
જાપથી આ બળ યથોત્તર વિકાસ પામે છે, પણ આ બળ ખરેખર શ્રી વીતરાગ પૂજાથી પ્રગટે છે. તેની ખીલવણી માટે તમો આદર્શ અષ્ટપ્રકારી પૂજાની પદ્ધતિને અપનાવી અંતરંગ આત્મશકિત ખીલવો એ શુભેચ્છા.
ૐ
טל
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
७३
Jain Education International
કુંવારદ
૨૨-૧૨-૮૩
તમો બધા રાજરાજેશ્વર વિરાટ શકિતશાળી શ્રી નવકાર મહામંત્રના છત્રતળે આધ્યાત્મિક - આધિભૌતિક સ્વસ્થતા જાળવી રહ્યા હશો.
વી
ખરેખર આત્મા ચૈતન્ય - શકિતનું પ્રધાનકેન્દ્ર છે. તેમાંથી વહેતા ચૈતન્યના સ્રોતને ઈંદ્રિયો – મન દ્વારા વહેતો થવામાં સંસ્કારોની મલિનતા વિષય – કષાયોના વમળ ઊભા કરી વિકૃત કરી નાંખે છે. આ વિકૃતિ જીવનક્ષેત્રે અનેક દુર્ગુણો રૂપે પ્રકટ થાય છે. શ્રી નવકાર મહામંત્રની જપયોગ દ્વારા થતી આરાધના અંતરમાં સંસ્કારો રૂપે ચુસ્તપણે જામેલા વિષય-કષાયોના મલિન થરને નિષ્ક્રિય બનાવે છે.
આ જાતની અનુભૂતિ તમો વ્યવસ્થિતપણે કરી શકો તે જીવનનું પરમ સૌભાગ્ય છે.
મૂડ-Mood અને સંજોગોની અનુકૂળતાના ભરોસે જાપમાં થતી - આવતી – રહેતી અવ્યવસ્થા આપણી જીવનશકિતઓને વિકાસની દિશા તરફ વળવાની તક મળી છતાં નદી કાંઠે તરસ્યા રહેનારા મુગ્ધ જીવની જેમ આપણે જપયોગની સફળતાની ભૂમિકાએ ન પહોંચીએ તે ખરેખર આપણી મુગ્ધતા કે હોશિયારીની ખામી ગણાય.
ખરેખર આપણે વિચારવાની જરૂર છે કે, સંસારની પ્રવૃત્તિઓમાં રસ કેટલો! તેમાં આવતી
છે
For Private & Personal Use Only
www.jainelibrary.org