________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૧૪૫
9૧
શંખેશ્વર
૧૫-૧૨-૮૩ શ્રી નવકાર મહામંત્રની આરાધના મહાન પુણ્યયોગે મળે છે. તેનો લાભ ઉઠાવવા માટે લક્ષ્યની જાગૃતિ સ્પષ્ટ જોઈએ. તમારામાં તેની ચોકસાઈ છે કે નહીં? તેનું મીટર આરાધનાના પંથે ચાલતા પ્રમાદ – અવિધિ - અનાદર – ઉપેક્ષા આદિ દોષોનો ઘટાડો કે અભાવ છે.
જેમ જેમ આ દોષ ઘટે તેમ તેમ આપણામાં લક્ષ્યની જાગૃતિ વધુ ચોકસાઈ પર આવતી જાય છે તેમ સમજી શકાય.
વળી એક બીજી વાત કે – આરાધનામાં ઉપાસનાનો અર્થ મગજમાં રહે એટલે ઠીક છે. ઉપાય = આરાધ્ય તત્ત્વોની ઉપાસના કરવી એ એક આપણી પવિત્ર ફરજ. એટલા અર્થમાં થોડીક લૂઝનેસ = ઢીલાશ કદાચ થઈ જાય – ઉપાસના કરવી હોય તો કરીએ, પણ ફોર્સ સમી = ચોકસાઈથી તેના પાલન માટે આપણી સજાગતા રહે ન રહે પણ તે આરાધના જ્યારે સાધનામાં કન્વર્ટ થાય ત્યારે પુરુષાર્થની તીવ્રતા લક્ષ્યની જાગૃતિમાં મિકસ થવાથી અંતરથી તરવરાટ જાગે કે મારે આટલું સાધવું છે – મેળવવું છે એ જાતની હાર્દિક લાગણીઓની સંવેદના સાધના માર્ગે અનુભવાય છે.
માટે શ્રી નવકાર મહામંત્રના આરાધક બનવાની વાત મહત્ત્વની છે છતાં તેમની સાધક તરીકેની કક્ષા બહુ મહત્ત્વની છે. તેમાં આપણા તીવ્ર પુરુષાર્થની પ્રબળ છાયા છે.
વળી સાધનામાર્ગે ચાલતાં યોગ્ય માર્ગદર્શક ગુરુ - તેમની આજ્ઞાનું પણ વધુ મહત્ત્વ સમજાય છે.
આરાધનામાં તો ગાજરની પિપૂડી વાગી ત્યાં સુધી વગાડી, પછી કરડી ખાધી, એટલે કરી તો ઠીક, ન કરીએ તો ખાસ વાંધો નહીં એવી સૂઝ-વૃત્તિ કદાચ થાય. પણ સાધનામાર્ગમાં આપણા અંતરની અભીપ્સા = તીવ્ર મહેચ્છા કે આપણા અંતરાત્માના ઊંડાણમાં રહેલ પરમાત્મપદ આડે રહેલાં કર્મોનાં આવરણોના અવરોધોને હઠાવી મારે પ્રગટ કરવું છે. આ જાતની અભીપ્સા સાધનાના મૂળમાં પ્રબળપણે પ્રગટે છે. માટે તમો આરાધનાને સાધનામાં કન્વર્ટ કરો એ ખાસ જરૂરી છે.
હા! એક વાત છે. આ જાતના કન્વર્ઝન માટે આરાધનામાં કંઈક રસાનુભૂતિ – સ્વાદ થવો જોઈએ. તે નિયત સ્થળ - સમય - સંખ્યાના ધોરણે કરાતા જાપથી થાય જ! વધુમાં વધુ ૨૧ અઠવાડિયા આની મુદત છે.
તમોને તો આ પિરીયડ બહુ સારો મળ્યો છે, હવે સ્વદ્રવ્યથી પૂજા, અભક્ષ્ય ત્યાગ, રાત્રિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org