________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
આ લખાણો પછી ઘણી જગ્યાએ વિવિધ જાતની છેદન-ભેદન- દાહ ઘાણી – ગંધાતી લોહી-પરુની ભયંકર નદી, તલવારની ધાર જેવા લાંબાં પત્તાં વગેરે જોઈ ઘણા કોઠાઓમાં કેદી જેવા ભયંકર ત્રાસ ભોગવતા નારકીઓને જોયા.
૧૪૪
ઘણી જગ્યાએ ફેરવી ફરી નીચે લઇ ગયા, ત્યાં વધુ ભયંકર દૈત્યાકાર મોટી કાયાવાળા નારકીઓ વિવિધ દુ:ખો ભોગવતા જોયા.
થોડી વારે તેજ ઝબકારામાં આ બીજી નારકી શર્કરાપ્રભા છે. અહીંનો ત્રાસ ઘણો ભયંકર છે. નમૂનો જોઈ લો, વધુ તમારી હિંમત નથી કે તમે જોઈ શકશો. એમ કહી અનેક જગ્યાએ ફેરવી પાછા હું પેલા તેજોમય વૃદ્ધ પુરુષની આંગળીએ વળગેલ હું પાછી વળેલ તેજરેખાના આધારે ઉપર આવ્યો. પેલા વૃદ્ધ પુરુષ સૂતા હતા, પેલું તેજોમય શરીર તેમનામાં પ્રવેશ પામ્યું. મારું તેજોમય શરીર મારા શરીરમાં નાભિ વાટે દાખલ થયું.
થોડી વારે પેલા વૃદ્ધ પુરુષ બોલ્યા કે, મહારાજ! બે નારકીઓ જોઈને! મેં નારકીનાં ભયંકર દુ:ખોની વેદનાની વિડ્વલતામાં અસ્પષ્ટ હા પાડી, થોડી વારે હું પેલા વૃદ્ધ પુરુષના ઇશારાથી સ્વસ્થાને જવા રવાના થયો કે તુરત તંદ્રા તુટી. હું મારા જાપમાં લીન બન્યો.
આ રીતે જીવનમાં કયારેક અવનવા સંયોગો ઊભા થાય છે કે જેના પરિણામે આપણા જીવનમાં રોમાંચક યાદગાર અનુભવો પણ ઊભા થાય છે જેમાંથી જીવનસિદ્ધિના અવનવા સાક્ષાત્કારો જોવા મળે છે.
તમે પણ શ્રી નવકારના જાપના માધ્યમે વ્યવસ્થિત અંતરની શક્તિઓને કેળવી વિપત્તિમાં વિવેકનું અજવાળું અને લક્ષ્યની સ્પષ્ટ જાગૃતિ કેળવી વિશિષ્ટ કક્ષાના ઉદાત્ત જીવનશકિતના દિવ્ય અનુભવોને પામો એ મંગલ કામના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org