________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
આહારમાં તીખા તમતમતા, તળેલાં, ચટણી, મસાલા, હોટલના, બજારૂ ચીજોના વપરાશની સંભવિતતા વધુ છે. તેમજ વિહાર એટલે ભાઈબંધ - દોસ્તોનું સર્કલ એવું છે કે તમે તેઓને તમારી આધ્યાત્મિક વૃત્તિઓના વલણની વાત સ્પષ્ટપણે કરી શકવાની નૈતિક હિંમત ગમે તે કારણે કેળવી શકતા નથી. લાજે – શરમે દાક્ષિણ્યતાના દુરુપયોગથી તમો કયારેક તમોને અંદરથી ન ગમતી પ્રવૃત્તિઓમાં પણ ભાઈબંધો સાથે ભળી જાઓ છો. જેમાં પિકચર, હોટલો, રાત્રે ફરવા જવું, મોડે સુધી ઈધર ઉધરનાં ગપ્પાંઓમાં જાપનો સમય અગર સવારે વહેલાં ઊઠવાનો સમય ડોળાઈ જાય. આમાં તમોને અંતરનો રસ ન પણ હોય પણ લાજે શરમે અગર ભાઇબંધો આપણી ધાર્મિકતાની ટીખળ કરે તે ભયથી તમે તેમાં જોડાઓ છો પણ અંતરથી ઊંડું વિચારી કંઈક વિહારશુદ્ધિ કેળવવાના ઉપાયો કેળવવા જરૂરી છે.
૧૩૦
એક વાત અહીં મારા ધ્યાન બહાર નથી કે ૭/૮ કલાકની સર્વિસ અને બે ત્રણ કલાક સર્વિસ માટે જવા આવવાની હાડમારી એટલે ૧૦/૧૧ કલાકના મેન્ટલ ટેન્સનને હળવું કરવા તમને આવું જરૂરી પણ લાગે.
આદિથી
છતાં નિર્દોષ આનંદ- ગમે તે સુંદર સ્થાને ભકિતગીતો - હળવું નિર્દોષ વાંચન આ ટેન્શન ઘટાડી શકાય, પણ આપણી આરાધના મર્યાદાને પોષક વિહારશુદ્ધિમાં ગાબડું પડે તેવી પ્રવૃત્તિઓ તો ન કરાય તે વધુ ઇષ્ટ છે. તેમ છતાં પરિસ્થિતિ વશ આવું બધું કરવું પડે તો તેની સામે પોઝિટિવ એપ્રોચ જીવન શુદ્ધિ સહાયક –
=
=
-
પુણ્યાત્માઓના ઉત્તમ પુણ્યની દેવોને પણ અદેખાઈ આવે છે. તમે આજે વિષમ કલિકાલ - ભૌતિકવાદના ઝેરી વાતાવરણ, અમદાવાદ જેવા સમૃદ્ધ શહેર અને તેવા વિષમ વાતાવરણમાં હોવા છતાં તમો શ્રી નવકારને સમર્પિત થઈ શકયા છો. છતાં કેટલીક સંજોગોની ભીંસ, થોડીક ઉપેક્ષાથી કેટલાક જરૂરી નકકર ઉપાયો દ્વારા આહાર-વિહારની શુદ્ધિ જાળવી નથી શકતા તે ઉચિત નથી, તે માટે ખૂબ સાવચેત રહો, કેમકે પાયાની બેદરકારી કરેલ મહેનતને સફળ થવા દેતી નથી, શ્રી નવકારના જાપ માટે ૪ સાધન ખાસ જરૂરી છે.
=
=
૦ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા ૦ શ્રી નવકારનું સ્મરણ
૦ શ્રી નવકારના સાહિત્યનું વાંચન ૦ ધર્મચમાં સામાયિક
૦ દૈનિક જાપનો નિયત સમય
આદિ સાધનોનો યથાયોગ્ય ઉપયોગ કરવામાં બેદરકારી પણ વાજબી ન ગણાય.
નિયમિત સમય, સ્થાન, સંખ્યા.
આહારશુદ્ઘિ (અભક્ષ્યત્યાગ, સાત્ત્વિક આહાર)
વિહારશુદ્ધિ – સાંસારિક વાસનાવર્ધક ભાઈબંધ દોસ્તોના સાહચર્યનો ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org