________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા,
૧૨૯
- ૬૩
૧૭-૧૧-૮૩
પાલનપુર
વિચારોની દુનિયામાં ખોવાઈ જનાર સાધનાના પંથે ડગલાં ભરી શકતો નથી. લક્ષ્યની જાગૃતિ થયા પછી વિચારોની દુનિયા પલટાઈ જાય છે. આચારના પગથારે ઉત્તરોત્તર વિકાસમાં આરાધક મચ્યો રહે છે.
આપણા જીવનને ડોળનાર આપણી ઈચ્છાઓ – વાસનાઓ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરતાં સાચો આરાધક તે ઈચ્છાઓ અને વાસનાઓ જ્યાંથી ઊપજે છે તે મોહની ભૂમિકાને પલટાવવામાં પુરુષાર્થની મહત્તા માને છે.
વિચારોની દુનિયામાં રાચનાર વ્યકિત મોહના તત્વને પારખી શકતો નથી.
મોહ પરખાય કયારે? લક્ષ્યની જાગૃતિ સાથે કરાતી આચારશુદ્ધિની સાધનાથી. તેથી આરાધક પુણ્યાત્મા યોગ્ય જ્ઞાની ગુરુની નિશ્રાએ પુરુષાર્થ ફોરવી આચારશુદ્ધિ માટે મથામણ કરે.
માટે જ શ્રી નવકારની આરાધનાની ફળશ્રુતિરૂપે શ્રી નવકારનાં છેલ્લાં ૪ પદોની ચૂલિકામાં “સવ્વપાવપૂMાસ' પદથી જીવનવિકાસને અવરોધી રહેલ મોહના સંસ્કારોને પાપ શબ્દથી ઓળખાવી તેના સમૂળ નાશ દ્વારા આચારશુદ્ધિ પર ભાર મૂકયો છે.
આચારશુદ્ધિથી પાત્રતા પ્રગટે છે, વિકસે છે. તે આચારશુદ્ધિ આહાર-વાતાવરણ બંનેની પવિત્ર મર્યાદાઓની જાળવણીથી વધુ સક્રિય બને છે.
શ્રી નવકારની આરાધનામાં આહાર-વિહાર અને વાતાવરણની શુદ્ધિ આ ત્રિપુટીની ખાસ જરૂર છે.
મારા જીવનમાં પૂ, તારક ગુરુદેવશ્રીના વરદ અનુગ્રહથી મારી સ્મૃતિ અનુસાર ૮ થી ૨૦ વર્ષ દરમ્યાન સાત્વિક આહાર - કોઈનો સંપર્ક નહીં અને જ્ઞાન – ધ્યાન, ભણવું અને સ્વાધ્યાય સિવાય બીજી કોઈ વાતચીત નહીં. પરિણામે મારા જીવનમાં મહામહિમશાળી શ્રી નવકારને પધરાવવા માટે પૂર્વભૂમિકા વિશુદ્ધિવાળી તૈયાર થઈ ગઈ.
વિચારોમાં વિકૃતિ અને આચારમાં શિથિલતાને પેસવાની તક મારા ઉપકારી ગુરુદેવની સતત દેખરેખથી મળી નહીં. તમે પણ પુણ્યશાળી છો કે ચઢતી જવાની – વિકારોની ખાઈની કેડી સમી - ના ઉબરામાં જ તમને શ્રી નવકાર ભેટી ગયો. પણ તેમાં આહારશુદ્ધિ, વિહારશુદ્ધિની ખામી બહુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org