SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 8 નમસ્કાર મહામંત્ર તત્વચંઠા અહે, મમત્વ, સંયોગ-વિયોગની વાત કરી માતાને ધર્મભાવમાં જ લીન રાખતા અને સતત વૈરાગ્યરસ પીરસતા અને સંયમની આરાધના કરાવી હતી. ૯ વર્ષની લઘુવયે સંયમી બનેલ, . ગુરુદેવશ્રીના મોટા ભાઈ તેજસ્વી પૂઢ મહોદય સાજી મઠ ની ધારણા શક્તિ અજબ હતી. જેઓશ્રીએ અઢારહજારી, સિદ્ધહેમ બ્રહવૃત્તિ ખૂબ ટૂંકા સમયમાં મુખપાઠ કરેલ. ૧૭ વર્ષની લઘુવયે પૂ. શ્રી કાળધર્મ પામ્યા. પૂ ઉપા. જીમ. ના ચારિત્રની અમીટ છાપ એમના સમુદાયમાં ચોથી - પાંચમી પેઢીએ આજે પણ ઝગમગાટ કરતી દેખાય છે. પ. પૂ. પન્યાસજી ભદ્રંકરવિજય મહારાજ પૂ ઉપાય છે. મઠ ના સાંસારિક કલ્યાણમિત્ર અને તપગચ્છમાં પંન્યાસજી મઢ તરીકેનું બિરુદ પામેલા અજાતશત્રુ મૈત્રીના સાગર સમાન પૂ. શ્રી ભદ્રંકર વિ. મ. કે જેમના ખોળામાં પૂ. ગુરુદેવ શ્રી નાનપણમાં રમેલા. એ પૂ શ્રીએ પૂ. ગુરુદેવશ્રીના જીવનને અદ્દભુત વળાંક આપી શ્રી નમસ્કાર મહામંત્રના રંગે રંગી દીધા. પૂ. ગુરુદેવશ્રીની માંદગીના સમયે શ્રી નવકાર ગણવાની પ્રેરણા કરી અને યથાયોગ્ય સમયે શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન સમક્ષ શ્રી નવકારની મંત્ર દીક્ષા આપી. પૂ. ગુરુદેવશ્રીનું ચારિત્ર ઘડતર પૂ ઉપામ ના વરદહસ્તે ઉત્તમોત્તમ થયેલું, અને શ્રી નવકાર સાધનાનું ઘડતર પૂ. પં. ભદ્રંકર વિ. મની અમીદ્રષ્ટિથી થયેલ. પરિણામે આરાધના વિમાન સુસજ્જ એન્જિન સાથે તૈયાર હતું અને પંન્યાસજી મહારાજે આરાધનાનો સંચાર કર્યો, અને પૂ. ગુરુદેવનું શ્રી નમસ્કાર મહામંત્રનું આરાધના વિમાન ઊંચાં ઊંચાં શિખરો સર કરવા લાગ્યું. પૂ. ગુરુદેવશ્રી આરાધક આત્માઓને ઓછામાં ઓછી એકાદવાર તો ભલામણપત્ર સાથે અચૂક પંન્યાસજી મ૦ ના દર્શને મોકલતા. તેઓશ્રી કહેતા કે પૂજ્ય પં. મસા. શ્રી નવકારમાં ઓતપ્રોત થઈ ગયા છે. નિકટ મોક્ષગામી આત્મા છે. યોગ્ય આત્માઓને તેમની નિશ્રામાં દીક્ષા માટે મોકલતા, તે જ બન્નેનો એકબીજા પ્રત્યેનો અનન્ય ભાવ દર્શાવે છે. શ્રી નવકારની આરાધનાની સાથે પૂ. ગુરુદેવશ્રી શ્રી નવકારને લગતા પંન્યાસજી મના સાહિત્યને ઓછામાં ઓછું ૧૦ મિનિટ વાંચવા માટે ભલામણ કરતા. - પૂજ્ય પંન્યાસજી ભદ્રંકર વિ. મ. ના લખાણોમાં શબ્દ શબ્દ અજાતશત્રુ અરિહંત પરમાત્માની અમરવાણી નીતરતી અનુભવાય. ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનો અર્થ - ભાવાર્થ, વિશેષાર્થ આરાધનાની વિધિ જણાવી જેઓશ્રી પોતાની નજીક આવનાર સર્વેને તેની કક્ષા અનુસાર શ્રી નવકાર મહામંત્ર આપતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy