________________
૧૧૬
શ્રી નમસ્કાર મહામંત્ર તસ્વચંદ્રિકા
કે બહારની સંસારની ચીજોનું આકર્ષણ ઘટી જશે. માટે શ્રી નવકારના જાપથી થયેલ આંતરિક અસરને નભાવવા સ્વદ્રવ્યથી જિનપૂજા, સામાયિક - વ્રત - નિયમ, પચ્ચકખાણ, સારી સોબત, રાત્રે ૮. થી ૯ પછી બહાર ન જવું, આદિ ટકાવવાની ખાસ જરૂર છે. આ બધાં જાપની શકિતને સક્રિય બનાવવાનાં મુખ્ય સાધનો છે.
મારા જીવનમાં ૧૬ - ર૦ કે ૪૫ દિવસ એકધારો સતત શ્રી નવકારનો જાપ, તેનો સ્વાધ્યાય, દષ્ટિ મૌન, સ્પર્શમૌન, ભાષામૌન, વાતાવરણ મૌન, આદિ પદ્ધતિ અપનાવવાથી અનેરી દિવ્ય આંતર શકિતઓ અનુભવવા મળી. તમો સંસારી છો એટલે મારા જેવી સર્વથા ઉપરની બાબતો ન પાળી શકો છતાં અમુક સમય પૂરતી મર્યાદાઓ લાવી શકો.
આજે તમારી સાધનામાં સૌથી મોટું વિન્ન ભાઈબંધોની પરિચર્યા છે. આજના ભાઈબંધો માત્ર ખાણી-પીણી, મૌજ - આનંદ તરફ ઢળનારા હોય, આંતરિક રીતે આપણી જાપ શક્તિને ડહોળી નાંખનારી તેમની પ્રવૃત્તિઓ હોય માટે જેમ બને તેમ ઔપચારિક સંબંધ ટકાવી તેમની સાથે બહુ ઊંડા ન ઊતરવામાં જ સાધનાની મઝા માણવાની કેડી લાધે છે.
તમારા માટે આજની વ્યાવહારિક રીતભાતના આધારે આ વાત હું માનું છું ત્યાં સુધી ખૂબ અઘરી છે. પણ લક્ષ્ય આનું રાખવાની જરૂર છે. પરંપરાએ આ લક્ષ્યથી સાધનાશકિત ઘણી જળવાશે. માટે આ અંગે તથા રાત્રે ૮ – ૯ પછી ઘર બહાર ન જવું. ભલે ભાઈબંધો ઘરે આવ્યા હોય તો વ્યવહાર ખાતર મુલાકાત લો, વાતો કરો, પણ ઘર બહાર જવાથી સાધનાની શકિત ખૂબ જ ક્ષીણ થાય, આ માટે ખૂબ તકેદારી કેળવવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org