________________
૧૧૪
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
આંતરિક શકિતઓના વિકાસ માટે હકીકતમાં મુખ્ય વસ્તુ સમર્પિતભાવ છે. તેના પાયામાં શ્રદ્ધા-ભકિત હોવા ખાસ જરૂરી છે. શ્રદ્ધા-ભકિત વિનાનો સર્મપિત ભાવ માનસિક ગુલામી વધુ સર્જે છે. માટે વિવેકી પુણ્યવાનોએ આંતરિક શકિતઓના સફળ વિકાસ માટે અંતરંગ નિખાલસતા સાથે શ્રદ્ધા-ભકિતના પાયા પર સમર્પિતભાવને વધુ કેળવવાની જરૂર છે.
વળી આંતરિક સાધનાના સ્તરે જીવનશકિતઓને વધુ વ્યવસ્થિત રીતે ટકાવવા માટે આપણા અંતરના ઉમંગભર્યા ઉત્સાહપૂર્ણ પ્રેરક પુરુષાર્થની જરૂર છે.
આપણી આવા પુરુષાર્થની કેળવણી એમનામાં દિવ્યતત્ત્વ સાથેનો વૈચારિક સંપર્ક ઉમેરવાથી વધુ સચોટ થાય છે.
દિવ્યતત્ત્વ એટલે ભૌતિક વાસનાઓથી પર આંતરિક શક્તિઓના મૂળસ્રોત સમા અંતરના ચૈતન્ય તત્ત્વની સાહજિક વિકસિત અવસ્થાની કક્ષા – કે જ્યાં સંતપુરુષો સદાકાળ પોતાની આગવી સાધનાથી વિચરતા હોય તે ભૂમિકાનો સંસર્ગ વૈચારિક શક્તિ દ્વારા આપણે મેળવવો ઘટે. તેમાંથી અજોડ દિવ્ય પુરુષાર્થ આપણા ચૈતન્યના પ્રસ્તુરિત વિકાસ આડે આવનારા અવરોધોને હડસેલવા રૂપનો પ્રગટે છે.
“ખે સૂઈ તે ઘ જૂની કહેવત મુજબ કર્મોના ઝંઝાવાતથી ખડકાઈ ગયેલા અવરોધોમાં ખોવાઈ ગયેલ ચેતનાશક્તિનાં સાહજિક સ્પંદનોવાળા કેટલાક સાધકો કયારેક આવી નિકૃષ્ટ કક્ષાથી આવા દિવ્યતમ ચૈતન્ય તત્ત્વના સંપર્કને મેળવી વિશિષ્ટ પુરુષાર્થ બળે સઘળા અવરોધો ને ફગાવી દઈ આંતરિક દિવ્યશક્તિઓના મૌલિક સ્રોતને વિશિષ્ટ રીતે મેળવી લે છે.
પરિણામે આત્મશક્તિઓનાં વિશિષ્ટ સ્પંદનોને સક્રિય રીતે અનુભવી દિવ્ય ચેતનાની સાહજિક સંવેદનાની કક્ષાએ પહોંચી જાય છે.
આ બધું તમને સૈદ્ધાંતિક પરિભાષા એટલા માટે જણાવું છું કે, તમો વ્યાવહારિક માયાજાળમાં અટવાઈને કયારેય નિરાશાના રવાડે ચઢી ન જાઓ, અગર આંતરિક જીવનશક્તિઓના વિકાસની કક્ષાએ લઈ જનારા જપયોગની ભૂમિકાથી ખસી ન જાઓ તે માટે આ બધી વાતો ખાસ જણાવી છે.
તમોએ તમારી સાધનાનો આરંભ કર્યો છે. પણ દિવ્ય તત્વ સાથે સંપર્ક નજીવી માત્રામાં મેળવ્યો છે છતાં વ્યાવહારિક વિષમતાઓના અવરોધમાં દિવ્ય પુરુષાર્થની ભૂમિકાએ તમો તમારી જાતને લાવી શકતા નથી, તેમાં થોડી જાપની શકિતથી કેળવાતી પાત્રતા જ ખૂટે છે.
માટે તમો સહુ વિશિષ્ટ રીતે જાપની પ્રક્રિયાથી આંતરિક શક્તિઓના સ્રોતને વધુ ગતિશીલ બનાવી બાહ્ય વિષમતાઓના અવરોધોને આંતરિક બળથી જ્ઞાવી દિવ્ય – અતિદિવ્ય આંતરિક ચૈતન્યનાં પરમાનંદભર્યા સ્પંદનોને ઝીલી શકો તેવી મારી અંતરંગ ઈચ્છા છે.
આ માટે તમારે માત્ર વર્ણયોગની દિવ્યસાધના સ્થાન - સમય - સંખ્યાના નિયતીકરણ સાથે અમલમાં મૂકવાની ખાસ જરૂર છે.
- તમારામાં અપેક્ષાએ આંતરિક શક્તિનો ઉઘાડ ઓછો વધતો થવા પામ્યો છે. તે ઉઘાડ જાપના બળે વધુ થતો રહે, અંતરમાં તેનો પરમાનંદ અનુભવાય એ મહેચ્છા છે. કુરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org