________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૧૦૯
- પર
પાલનપુર
૧૧-૧૦-૮૩ વિ. સમર્પણભાવ અને લક્ષ્યની જાગૃતિ આ બે પ્રધાન તત્ત્વો આરાધના માટે ખાસ જરૂરી છે.
જેમ જેમ આરાધનામાં આગળ વધાય તેમ તેમ આ બંને તત્ત્વોના વિકાસથી આરાધ્ય પરમતત્વ પ્રતિ એકતાનતા એવી વધતી જાય કે સંસારના ગમે તેટલા મોહક પદાર્થો પણ આપણી વૃત્તિઓને આકર્ષી ન શકે.
જેની પાસે સાચા હીરા જથ્થાબંધ આપવાની ખરેખર શક્યતા હોય તે પાંચિયા - દશિયા કે રૂપિયાની સુંદર કડકડતી નવી નોટો તરફ જેમ આકર્ષાય નહીં, તેમ આપણી વૃત્તિઓમાં આરાધનાના પંથે સમર્પણભાવ લક્ષ્યની જાગૃતિ સાથે વધતી હોય તો દુન્યવી પદાર્થોનું આકર્ષણ રહે જ નહીં. પણ હજુ આપણામાં દુન્યવી પદાર્થોનું આકર્ષણ છે. એ બતાવી આપે છે કે આપણી આરાધનામાં જરૂરી આ બે તત્ત્વોની ખામી છે. અગર તેનું યથાયોગ્ય જતન આપણે નથી કરી શકયા.
સમર્પણભાવ અને લક્ષ્યની જાગૃતિ માટે કંઈ કરવું નથી પડતું, માત્ર આપણા વિચારોના કેન્દ્રને સમજણથી વ્યવસ્થિત કરવાની જરૂર છે.
પંચપરમેષ્ઠીઓની ઉદાત્ત કરુણા અને પરમોપકારિતાનો યથાર્થ ખ્યાલ આવે તો સમર્પણભાવ ખીલ્યા વિના ન રહે.
તે રીતે આપણી અત્યારની દીન - હીન અને કંગાળ દશાનો સાચો ખ્યાલ આવે તો મારે કર્મોનાં બંધનોથી છૂટી પરમાત્મ સ્વરૂપ બનવું છે. એ લક્ષ્યની જાગૃતિ પ્રકટતાં વાર ન લાગે.
આ બંને તત્ત્વો આપણા અંતરના પુરુષાર્થને આભારી છે.
દુન્યવી પદાર્થો જેમ બાહ્ય પુરુષાર્થ વિના ન મળે – એવી જેમ ગ્રંથિ બંધાઈ છે. પણ હકીકતમાં ગમે તેટલા પુરુષાર્થ છતાં પુણ્યની પ્રબળતા વિના જગતના પદાર્થો સામે હોય છતાં આપણે ન મેળવી શકીએ. તેથી પુણ્યોદયને આધીન છતાં પુરુષાર્થ કર્યા વિના શી રીતે મળે? એવી આપણી ગ્રંથિ બંધાઈ ગઈ છે એમ અંતરની સાધનામાં જરૂરી સમર્પણભાવ અને લક્ષ્યની જાગૃતિ આ બંને તત્ત્વો માત્ર આપણા અંતરના પુરુષાર્થને આધીન છતાં આપણા મનમાં એવી અજ્ઞાનમૂલક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ભાગ્યમાં હશે તો થશે. આપણા કર્મનો અંતરાય છે, આવી હીનતાભરી વાતોની રજૂઆત કરી આપણી અજ્ઞાન દશાનું પ્રદર્શન કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org