________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૧૦૧ દિવસથી ચિત્તમાં અપૂર્વ શાંતિ – વિચારોમાં ઝબકારા બંધ – અજવાળાં, કયાંય જીવનમાં ગૂંચ જેવું નહીં. બધું સ્વયંસંચાલિત, બધું ઓટોમેટીક ચાલે તેમ ગોઠવાયેલ લાગશે. આપણે માત્ર તેના ઈન્સ્ટમેંટ રૂપ છીએ એવું લાગશે.
જાપમાં અદ્ભુત ચમત્કારો થશે, જીવન હળવુંફૂલ થઈ જશે. મારાં વર્ષોના અનુભવ અને લાંબા જાપ પછી મેળવેલ – નિખારેક અનુભવ સત્યનું આ નવનીત છે.
તમે પુણ્યવાની જરૂર આ સત્યને જીવનમાં ઉતારી પરમાનંદથી છલકાતા દિવ્ય અનુભૂતિના સાગરમાં ડૂબકી મારો અને સાધનાના પવિત્ર મધુરા રસાસ્વાદથી જીવન ધન્ય બનાવો. - સવારે જા૫ અને સ્વદ્રવ્યથી વીતરાગ પ્રભુની પૂજા આ બે તત્ત્વ તમારા ત્રણેના જીવનમાં ઉમેરવા આજના તબકકે વધુ જરૂરી લાગે છે, પણ આ પત્રને સમજણ – ગંભીર વિચારણા સાથે વાંચી જીવનમાં અમલી બનાવવા માટેના દઢ સંકલ્પની કેળવણી કરો એ મહેચ્છા.
લાલ
४८
પાલનપુર
ર૯-૯-૮૩ જીવનના વહેતા પ્રવાહમાં વેગને થંભાવનારાં તત્ત્વોને હડસેલવાનો પુરુષાર્થ ખરેખર આરાધનાનું વિશિષ્ટ સ્વરૂપ છે.
થી નમસ્કાર મહામંત્ર એટલે જિનશાસનની યથાર્થ સમજણ સાથે આત્મશક્તિના વહેણને થંભાવનારાં અવરોધક તત્ત્વોને હડસેલવા માટેના પુરુષાર્થની દિશાનો નિર્ણય.
આ જાતના નિર્ણયને વફાદાર રહી અંતરના ઉમળકા સાથે આવા દિવ્ય પુરુષાર્થના ઉચ્ચ શિખરે બિરાજમાન પંચ પરમેષ્ઠીઓના ભાવવાહી સ્વરૂપને હૃદયંગમ કરી અંતરના તનમનાટ સાથે તેઓએ ચીધેલા દિવ્ય પુરુષાર્થના પંથે આપણી શકિતઓના વહેણને વાળનાર તદનુરૂપ પ્રયત્નોનું નામ આરાધના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org