________________
થી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
ક
૪પ
પાલનપુર
૧૬-૯-૮૩, ભાદરવા સુદ ૧૦ શ્રી નવકારનો આરાધક જીવનને વિશિષ્ટ રીતે ઉચ્ચ કક્ષાએ લાવવા મથામણ કરે. એટલે તૃષ્ણા, મિથ્યાદષ્ટિકોણ, પ્રમાદ, કષાય, મનની ચંચળતા, વાણીની સ્વચ્છંદતા, કાયાનો અસંયમ – આ મુખ્ય ૭ દોષોથી જીવનને બચાવી વૈરાગ્ય, સાપેક્ષ વિચારો, અપ્રમાદ, વીતરાગભાવ અને મન - વચન – કાયાની ચંચલતાના ઘટાડા તરફ જીવન શકિતઓના વળાંકથી જીવનને આરાધનામય બનાવવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો સાચો આરાધક ગણાય.
સંસ્કારોના ખેંચાણથી ઉપરના દોષો ઊપજે છે, અને જ્ઞાની નિશ્રાએ આરાધનાનું બળ વધારવાથી જીવન ઉન્નત બને છે.
શ્રી નવકાર મહામંત્રની આરાધનાનો વિશિષ્ટ પ્રકાર એ છે કે વિધિ-મર્યાદાપૂર્વક વચન અને કાયા જાપમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાથી આત્મામાંથી આવતા વિષમ મોહના ગૂંચવાડા મનને ઉશ્કેરે પણ મનની સક્રિયતાનો આધાર વચન - કાયા હોવાથી તે બંને જે જ્ઞાનીની આજ્ઞા મર્યાદામાં સ્થિત હોય તો મોહના ગૂંચવાડા મનમાં રહે નહી. અને સ્વત: - ક્ષીણ શકિતવાળા થઈ જાય.
ઉપરાંત યથાવત્ વિધિ પ્રમાણે, વચન-કાયાને નિયમિત રાખી કરાતા જાપથી આપણા શરીરનો કણેકણ વજ જેવો કઠોર થવા પામે છે. કે જેથી કો'ક નિકાચિત તીવ્ર કર્મ સિવાય સામાન્ય આક્તો આવે જ નહીં. આવે તો ટકે નહીં, અને અંતરથી ઊભરાતા સાધનાના તેજથી વિપરીત સંયોગો અનુકૂળ થવા માંડે, પરંપરાએ મનમાં ગૂંચવાતા વિકારો પણ ક્ષીણ થઈ જાય.
પૂર્વના આરાધક મહાપુરુષોએ આ રીતે જ સાધનાના માર્ગને નિબંધ બનાવેલ. વર્તમાન કાળે પણ આ રીતની આરાધના. સાધના પંથે ચાલનારા વિનોને હઠાવનારી બને જ છે. મારા જ જીવનમાં વિ. સં. ૨૦૨૪ના શ્રાવણ મહિને શ્રી નવકારના જાપમાં રાત્રે ૧ થી ૨ ના ગાળામાં ત્રણચાર વાર સૂચન મળેલ કે સાધનાની શકિતનો પ્રવાહ ખૂબ વધ્યો છે. શરીરના અણુઓમાં તેને પ્રસારવા માટે દુન્યવી દષ્ટિએ બેભાન થવાની પ્રક્રિયા અમલમાં આવશે, ગભરાશો નહીં. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખશો કે બેભાન થવાથી બહારની ગતિ વિધિ બધી બંધ થાય એટલે અંતરની શકિતને શરીરના અણુ - અણુમાં પ્રસરવાની તક મળે. માટે તમે ધીરતા રાખશો, ગભરાશો નહીં. અશોક સામને કહી રાખશો કે આવા સમયે દવા - ઈજે કંઈ ન અપાવે. માત્ર માથે તાળવા પર ઠંડા પાણીની ઘાર જરૂર ના કલાક કરાવે. આવી પૂર્વ સૂચના ત્રણવાર મળેલ. પરિણામે ભા. સુ૧૦ દિને ચાણસ્માથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org