________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
S
૪૨
પાલનપુર
૩-૯-૮૩
વિ શ્રી નવકાર એ પરમતત્ત્વનો પરિચાયક છે. જગત આખું અપરમ તત્ત્વ છે. પણ આત્મા ચિંતન અને અંતરંગ શકિતઓ પરમ છે. અપરમ તે કે જે ઇંદ્રિય, બુદ્ધિ, મનથી જાણી શકાય તેમજ પરિવર્તનશીલ હોય. પરમ તે કે જે અદ્વિતીય અને માત્ર વિશુદ્ધ આંતરિક શકિતઓના વિકાસ બળે અનુભવગમ્ય હોય તેમજ શાશ્વત હોય.
શ્રી નવકાર આવા પરમ સત્યરૂપ આત્માની પાંચ વિશિષ્ટ અવસ્થાઓનો પરિચય કરાવે છે. આ પરિચય પણ શબ્દથી નહીં. સ્થૂળ રૂપે નહીં. પણ અંતરના ઊંડાણમાં રહેલ ચૈતન્ય તત્ત્વ સાથે સહજ સ્પર્શરૂપ ઝણઝણાટીરૂપ મધુર સંવેદનરૂપ થવા પામે છે. કયારે? કે જ્યારે આપણે સાધના બળે સ્થૂળ ભૂમિકા = રાગ-દ્વેષ- પરિણતિની કે ઇંદ્રિયગમ્ય ભૌતિક પદાર્થોની વાસનાના સ્તર પરથી ઊંડા આત્મસાગરમાં ડૂબકી મારવા પ્રયત્નશીલ થઈએ ત્યારે ! તે માટે ભાવનમસ્કારના પરમાલંબનની જરૂર છે, તે વિના આત્મ-સાગરમાં ઊંડે અવગાહન કરી ન શકાય.
-
Jain Education International
*
આપણા વિશુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ સાથે તેના વિકાસ આડે રહેલ કર્મના સંસ્કારોને હડસેલવા માટે વિશુદ્ધ અધ્યવસાયોના પ્રતીકરુપે પરમેષ્ઠીઓના આલંબને આપણી ગુણાનુરાગ દૃષ્ટિની પ્રબળતા સાથે અંતરનો ઝુકાવ તે ભાવ નમસ્કાર. માટે જ શ્રી પરમેષ્ઠી મહામંત્ર નામના બદલે જગપ્રસિદ્ધ ગોપાલ આ મંત્ર પરિચિત છે.
શ્રી નમસ્કાર મહામંત્ર તરીકે આબાલ
૯૧
* ગુણાનુરાગ દષ્ટિ કેળવવી.
* કોઈના દોષ તરફ નજર ન કરવી.
* પરનિંદા સાંભળવી નહીં - બોલવી નહીં.
* પરચર્ચા - પરપંચાત ન કરવી.
* કઠોર-માર્મિક ભાષાનો ત્યાગ કરવો.
૧) આ પાંચ બાબતોથી ભાવનમસ્કારનું પ્રાથમિક ઘડતર થાય છે.
પંચપરમેષ્ઠી જગતના સર્વોત્કૃષ્ટ મહાવિભૂતિ છતાં તેની સાથે આપણી ખોટવાઈ ગયેલ ખચ્ચર ગાડીને તેઓ પ્રતિ ગુણાનુરાગપૂર્વક વિશુદ્ધ નમસ્કારના માધ્યમ વડે સંબંધ ન જોડાય તો આપણને તેમની દિવ્ય શકિતઓનો લાભ શી રીતે મળે ! તેથી ભાવનમસ્કારની સાધના માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. એટલે
For Private & Personal Use Only
www.jainelibrary.org