SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કાશીદેશમાં અહિંસા-પ્રચાર રાજા કુમારપાલના હૃદયમાં આચાર્યદેવ હેમચન્દ્રસૂરિ પ્રત્યે દૃઢ શ્રદ્ધા સ્થાપિત થઈ. તેઓ વિચારે છે... આ જ મારા દેવ ! આ જ મારા ગુરુ ! આ કહે તે જ તારો ધર્મ ! ― ૧૪ - આચાર્યદેવે પણ સર્વપ્રથમ રાજાને પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું. ગુરુનું સ્વરૂપ સમજાવ્યું અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તે પછી રાજાના જીવવને શક્ય એટલું નિષ્પાપ બનાવ્યું. તેને અહિંસાધર્મનો ઉપદેશ આપ્યો. રાજાના પોતાના જીવનમાં કોઈ હિંસા ના રહી. માંસાહાર નહીં અને શિકાર નહીં ! - એવી રીતે, રોજ પરમાત્માની પૂજા કરે છે, સામાયિક કરે છે, પર્વતિથિના દિવસે પૌષધ કરે છે ! અનેક વ્રતો લીધાં રાજાએ. અનેક નિયમો લીધા રાજાએ. તે પછી ગુરુદેવે કુમારપાલને રાજ્યમાં હિંસા બંધ કરાવવાનો ઉપદેશ આપ્યો. રાજાને ઉપદેશ ગમ્યો. રાજાએ ગુજરાતનાં તમામ નગરોમાં અને ગામોમાં ઢંઢેરો પિટાવી દેધો - ‘જે કોઈ મનુષ્ય હરણ, બકરા, ગાય, ભેંસ વગેરે કોઈ પણ જીવને મારશે તે રાજ્યનો અપરાધી કહેવાશે.’ રાજાએ પાટણમાં ઘોષણા કરાવીને... કસોઈઓનાં કતલખાનાં બંધ કરાવ્યાં, માછીમારોને માછલી મારતા બંધ કરાવ્યા, શિકારીઓને શિકાર કરતા બંધ કરાવ્યા, દારૂની દુકાનો બંધ કરાવી, જુગારના અડ્ડાઓ બંધ કરાવ્યા, કાશીદેશમાં અહિંસા-પ્રચાર Jain Education International For Private & Personal Use Only ૯૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy