SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાલ બોલી ઊઠ્યા : “એમ ? તો આપણે કાલે પ્રભાતે તેઓની પાસે જઈને પૂછીશું. તું સમયસર અહીં આવી જજે.” મહારાજા, હું અવશ્ય આપની સેવામાં ઉપસ્થિત થઈશ. વાગભટ્ટ ત્યાંથી નીકળીને સીધા આચાર્યદેવની પાસે ગયા. ગુરુદેવને વંદના કરીને તેમણે કહ્યું : “ગુરુદેવ, મહારાજાએ પોતે કાલે સવારે આપની પાસે આવવા કહ્યું બરાબર છે વાગુભટ્ટ ! એ આવશે જ. વ્યાખ્યાન સમયે એને એવો ચમત્કાર જોવા મળશે કે પેલા યોગીના જોયેલા ચમત્કાર મામૂલી લાગશે !” વાગભટ્ટ મંત્રીને ગુરુદેવ ઉપર ૧૦૦ ટકાનો વિશ્વાસ હતો. તેઓ ગુરુદેવને વંદના કરીને, નિશ્ચિત થઈને પોતાના ઘરે ગયા. ઉપાશ્રયમાં વ્યાખ્યાન સભા ભરાણી છે. આચાર્યદવ ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે. એક હજાર સ્ત્રી-પુરુષો એકચિત્તે ઉપદેશ સાંભળે છે. રાજા કુમારપાલ, આચાર્યદેવની સામે જ બેઠા છે. ઉપદેશ સાંભળવામાં લીન બન્યા છે. બરાબર તેમની પાછળ વાગભટ્ટ મંત્રી બેઠેલા છે. એક કલાક વીત્યો... અને આચાર્યદેવ જે સાત પાટ ઉપર બેઠા હતા, તે પાટો એક પછી એક ખસવા માંડી.. સાતેય પાટ ખસી ગઈ... અને આચાર્યદેવ આકાશમાં અધ્ધર બેઠેલા રહ્યા... ઉપદેશ આપતા રહ્યા ! રાજા કુમારપાલની આંખો પહોળી થઈ ગઈ ! તે આશ્ચર્યથી બોલી ઊઠ્યા : “અદ્ભુત !” પ્રજાજનો હર્ષથી પુલકિત થઈ ગયા, ગગદ બની ગયા... વાગભટ્ટ મંત્રીની આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ ગઈ ! રાજા વિચારે છે : ગઈકાલે દેવબોધિને કેળના પત્રના આસન પર બેઠેલો જોયો હતો... અને તે મૌન હતો... જ્યારે આ તો કોઈ જ આધાર વિના... આકાશમાં બેસીને ઉપદેશ આપી રહ્યા છે ! અદ્ભુત યોગશક્તિ છે આ મહાપુરુષમાં.' (૮૮ સર્વજ્ઞ જેવા સૂરિદેવ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy