SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ ગુરુદેવને જોઈને રાજા નાચી ઊઠ્યો. રાજાએ ગુરુદેવને અતિ હર્ષથી ગદ્ગદ થઈને પ્રણામ કર્યા. તેઓને માનપૂર્વક રાજસભામાં લાવીને, પોતાના સુવર્ણાસન પર બેસાડ્યા. ગુરુદેવે રાજાને આશીર્વાદ આપ્યા : “હે રાજનું, જ્ઞાનરૂપી અગોચર, અતુલ અને અપ્રતિમ તેજ તારા મોહને પ્રશાન્ત કરો !” રાજાએ આશીર્વાદ ગ્રહણ ક્ય. પોતાના અપરાધના કારણે શરમાતો રાજા બોલ્યો, - “હે ભગવન્, હું કૃતઘ્ન છું. હું આપને મારું મોં દેખાડતાં પણ લજવાઉં છું. ખંભાતમાં જ્યારે શત્રુના સૈનિકો મને પકડવા આવેલા ત્યારે આપે જ મારું, પ્રાણના ભોગે રક્ષણ કર્યું હતું. આપે જ મને ઘોર નિરાશામાંથી ઉગાર્યો હતો. અને લખી આપેલું કે આજ તિથિ-વારે તને રાજયપ્રાપ્તિ થશે. એ પ્રમાણે મને રાજ્યપ્રાપ્તિ થઈ ત્યારે આપના ઉપકારોનો બદલો વાળવાનું તો દૂર રહ્યું, આપને મેં યાદ પણ ના કર્યા. વળી, પહેલાંના આપના અનેક ઉપકારોના ઋણમાંથી હજુ મુક્ત થયો નથી. ત્યાં આજે વળી મને પ્રાણદાન આપીને આપે મને ઉપકારના પહાડ નીચે દબાવી દીધો છે. મારા ઉપર આપના ઉપકારોનું ઋણ વધતું જ જાય છે... એમાંથી હું ક્યારે મુક્ત થઈશ ? હે ભગવંત, ઉપકાર કરવો, એ જ આપનો સ્વભાવ છે. નહીંતર, મારા જેવા કૃતઘ્ની માણસ ઉપર આજે આપ પુનઃ પ્રાણદાન કરવાનો અપૂર્વ ઉપકાર કેવી રીતે કરો ?' કૃતજ્ઞ માણસથી બીજો કોઈ ઉત્તમ માણસ નથી. કૃતન માણસથી બીજો કોઈ અધમ માણસ નથી. માટે જ દુનિયામાં કૃતજ્ઞ માણસની પ્રશંસા થાય છે અને કૃતજ્ઞ માણસની નિંદા થાય છે. હે પ્રભુ, અત્યારે આપ કૃતજ્ઞતાના શિખર ઉપર બિરાજો છો. જ્યારે હું કૃતજ્ઞતાની ઊંડી ખીણમાં પડેલો છું... આપ ક્ષમાધાન છો. આપ મારા સર્વે અપરાધ ક્ષમા કરો... હે પ્રભુ, મારી આટલી જ | કુમારપાલનો પશ્ચાત્તાપ ૭૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy