SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વજન્મનાં પાપ આડાં આવે છે. રાજા ! પુત્રપ્રાપ્તિની તારી યોગ્યતા જ નથી... પછી હું શું કરું? કર્મને ખોટાં કરવાની શક્તિ દુનિયામાં કોઈની નથી !' આટલું કહીને સોમનાથ મહાદેવ અદશ્ય થઈ ગયા. રાજા-રાણી બહાર આવ્યા. ધર્મશાળામાં જઈને પારણું કર્યું. રાજાને અત્યંત ખિન્ન થયેલો જોઈને રાણીએ કહ્યું, “નાથ, શા માટે ખેદ કરો છો ? દેવોનું કથન ખોટું પડતું નથી. તેમનું કથન સ્વીકારીને, મનમાંથી હવે પુત્રઝંખના કાઢી નાંખો.' સિદ્ધરાજે કહ્યું : “દેવી, તમારી વાત સાચી છે. પરંતુ શું કરું ? મન માનતું નથી... પુત્રપ્રાપ્તિ નથી થવાની, એ વાત માની લઉં... પરંતુ મારા પછી ગુજરાતનો રાજા કુમારપાલ બનશે, આ વાત મારા હૃદયને સળગાવી મૂકે છે. હું કોઈ પણ સંયોગોમાં એને રાજા નહીં બનવા દઉં... એ જીવતો રહેશે તો રાજા બનશે ને ? હું એનો વધ કરાવીશ.. જીવતો નહીં રહેવા દઉં... પછી રાજા કેવી રીતે બનશે ?” રાજા રોષથી ગર્જી ઊઠ્યો. રાણીએ રાજાનો હાથ પોતાના હાથમાં લઈ, ખૂબ કોમળ શબ્દોમાં કહ્યું : “શાન્ત થાઓ સ્વામીનાથ, શાન્ત થાઓ. જે બનવાકાળ હશે તે બનશે... આપણે હવે બાકીની જિંદગી શાન્તિથી જીવીએ !” Oિ - પાર્વત ગુરુદેવ / $ ૫૩] પણ3 / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy