SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યદેવ ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. રાજા રાજમહેલમાં પહોંચ્યો. સ્નાન-ભોજનાદિથી પરવારીને તેણે પાટણના શ્રેષ્ઠ રાજ્યોતિષીઓને બોલાવ્યા. જ્યોતિષીઓ આવ્યા. રાજાએ એમનું સ્વાગત કર્યું. જ્યોતિષીઓ પોતાના સ્થાને બેઠા. રાજાએ પ્રશ્ન પૂછ્યો, ‘તમે જ્યોતિષશાસ્ત્રના વિશારદ છો. તમે તમારા શાસ્ત્ર મુજબ મારા પ્રશ્નનો સાચો ઉત્તર આપજો. મારા ભાગ્યમાં પુત્રપ્રાપ્તિનો યોગ છે કે નહીં ? આ મારો એક જ પ્રશ્ન છે.’ જ્યોતિષીઓએ તુર્ત જ પ્રશ્નકુંડલી મૂકીને તેમાંથી રાજાના પશ્નનો ઉત્તર શોધવા માંડ્યો. પરસ્પર વિચારણા કરીને સર્વસંમત ઉત્તર આપ્યો, ‘મહારાજા, આપના ભાગ્યમાં પુત્રપ્રાપ્તિનો યોગ નથી.’ જે પ્રમાણે દેવી અંબિકાએ ઉત્તર આપ્યો હતો એ જ પ્રમાણે જ્યોતિષીઓએ ઉત્તર આપ્યો. રાજા નિરાશ થયો. જ્યોતિષીઓનું ઉત્તમ વસ્ત્રોથી અને સોનામહોરોથી સ્વાગત કરી, તેમને વિદાય આપી. રાજા સિદ્ધરાજે રાત્રિના સમયે રાણીને કહ્યું : ‘દેવી, જ્યોતિષીઓ પણ, એમના જ્યોતિષશાસ્ત્ર મુજબ પુત્રપ્રાપ્તિની ના પાડે છે. દેવી અંબિકાએ પણ ગુરુદેવને ના પાડી હતી.’ રાણીએ કહ્યું : ‘તો પછી હવે ધર્મકાર્યમાં મન પરોવવું જોઈએ. આપણા ભાગ્યમાં પુત્રનું સુખ નથી જ, એમ જ સમજી લેવું જોઈએ.' દેવી, હજુ આપણે પ્રયત્ન કરવો જોઈએ. નિરાશ થઈને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ થવાની નથી.' ‘તો હવે કેવો ઉપાય કરવા ધારો છો આપ ?’ ‘આપણે બે, અહીંથી ચાલતા-ચાલતા દેવપત્તન જઈએ. ત્યાં સોમનાથ મહાદેવની પૂજા કરીએ અને એમની સામે અન્ન-જલનો ત્યાગ કરી બેસી જઈએ ! એ ભોળા મહાદેવ જરૂર આપણી ઇચ્છા પૂર્ણ કરશે.’ રાણીએ કહ્યું : ‘જેવી આપની ઇચ્છા. હું સાથે આવીશ.’ કૃપાવંત ગુરુદેવ Jain Education International For Private & Personal Use Only ૫૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy