SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવે પૂછ્યું : ‘તો પછી, સિદ્ધરાજના મૃત્યુ બાદ ગુજરાતનો રાજા કોણ થશે ? દેવીએ કહ્યું : ‘ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાલ. તે મહાન શૂરવીર હશે. પરાક્રમી હશે. એ રાજા બનીને જૈન ધર્મનો ખૂબ વિસ્તાર કરશે. અહિંસા-ધર્મનો ફેલાવો કરશે.' આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ. આચાર્યદેવ પોતાના સ્થાને આવ્યા. ત્રણ દિવસના ઉપવાસનું પારણું કર્યું. રાજા સિદ્ધરાજ ખૂબ જ ઉત્કંઠાથી ગુરુદેવ પાસે આવ્યો. ગુરુદેવને વંદના કરી તેમની પાસે વિનયપૂર્વક બેઠો. ગુરુદેવ કહ્યું : 'રાજેશ્વર, તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી એમ દેવીએ કહ્યું. અને તમારા પછી ગુજરાતનો રાજા કુમારપાલ બનશે.’ ‘કોણ કુમારપાલ ?’ સિદ્ધરાજે આશ્ચર્યથી પૂછ્યું. ‘ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાલ !' ગુરુદેવે કહ્યું. સિદ્ધરાજ અત્યંત ખિન્ન થઈ ગયો. ‘રાજ, ખેદ ના કરો. પૂર્વજન્મમાં તમારા જીવે બાંધેલાં પાપ-કર્મ એવો અંતરાય કરે છે. માટે પુત્રપ્રાપ્તિ થઈ શકે એમ નથી. કોઈ પણ ઉપાય કામ લાગે એમ નથી. માટે ખેદ ના કરો. જે શક્ય ન હોય, તેની ઇચ્છા શા માટે કરવી ? એનો ખેદ શા માટે કરવો ?’ આચાર્યદેવે સિદ્ધરાજના અશાન્ત મનને શાંતિ આપવા ઉપદેશ આપ્યો, પરંતુ પુત્રપ્રાપ્તિની તીવ્ર ઇચ્છાના કારણે ઉત્પન્ન થયેલું એનું દુઃખ દૂર થયું નહીં. આચાર્યદેવની સાથે રાજા સપરિવાર પાછો પાટણ આવ્યો. પાટણની પ્રજાએ ભવ્ય સ્વાગત કર્યું. રાજાએ ગરીબોને દાન આપ્યું. નગરનાં સર્વે મંદિરોને શણગારવામાં આવ્યાં. પ્રજાએ મહોત્સવ મનાવ્યો. પરંતુ રાજાનું મન શાંત ન હતું. તેના મનમાં ઊથલ-પાથલ ચાલી રહી હતી. ૫૦ Jain Education International For Private & Personal Use Only સર્વજ્ઞ જેવા સૂરિદેવ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy