SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ નવાં નવાં કાવ્યો બનાવીને ભગવાન નેમનાથની સ્તવના કરી. સહુની આંખો હર્ષનાં આંસુથી ભીની થઈ ગઈ. હર્ષથી રોમરાજી ખીલી ઊઠી. રાજા સિદ્ધરાજે ગદ્ગદ ભાવે પ્રભુને વારંવાર સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ વખતે દેરાસરના વિવેકી પૂજારીઓએ રાજાને બેસવા માટે સુંદર આસન પાથરવા માંડ્યું. ત્યારે રાજાએ ના પાડી, અને કહ્યું : તીર્થક્ષેત્રમાં રાજાએ આસન પર ના બેસવું જોઈએ. તેમજ માંચા ઉપર - પલંગ ઉપર સૂવું ના જોઈએ. તીર્થક્ષેત્રમાં કોઈ માણસે દહીં પણ ના ખાવું જોઈએ.' પૂજારીઓએ રાજાની વાત સ્વીકારી. રાજાએ પૂજારીઓને સુંદર વસ્ત્રો આપ્યાં અને સોનામહોરો આપીને સંતુષ્ટ કર્યા. તીર્થયાત્રાનો અપૂર્વ આનંદ માણીને, ગુરુદેવની સાથે સહુ પહાડ ઊતરીને તળેટીમાં આવ્યા. રાજા સિદ્ધરાજે ત્યાં પણ સદાવ્રત શરૂ કરાવ્યું. યાચકોને દાન આપ્યું. જૂનાગઢમાં જઈને પણ સદાવ્રતો ખોલાવ્યાં અને ગરીબોનાં દુઃખ દૂર કર્યા. સિદ્ધરાજે ગુરુદેવને કહ્યું : “ભગવંત, અહીંથી આપણે પ્રભાસપાટણ જઈએ. સમુદ્રના કિનારે રહેલા ભગવાન સોમનાથનાં દર્શન કરીએ.” આચાર્યદેવે સંમતિ આપી. સહુ પ્રભાસપાટણ પહોંચ્યા. ભગવાન સોમનાથના મંદિરમાં ગયા. રાજા સિદ્ધરાજના મનમાં શંકા હતી કે ગુરુદેવ સોમનાથ મહાદેવને નમન કરશે કે નહીં! પરંતુ આચાર્યદેવે તો મહાદેવને નમન કર્યું અને ત્યાં બેસીને મહાદેવની સ્તુતિઓ બોલવા માંડી. ૪૪ શ્લોક બનાવીને બોલ્યા : भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ “જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેમના નાશ (૪૬) સવંત જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy