SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ લગભગ ત્રણ કલાક ગિરિરાજ ઉપર પસાર કરીને સહુ પહાડ ઊતરવા લાગ્યા. રાજા સિદ્ધરાજે શ્રદ્ધા અને ભક્તિથી ગદ્ગદ થઈને ગુરુદેવને કહ્યું : ગુરુદેવ, કેવું પ્રભાવશાળી આ તીર્થ છે ! ત્રણ-ત્રણ કલાક પસાર થઈ ગયા છતાં એકેય ખરાબ વિચાર મનમાં નથી આવ્યો ! ધન્ય જિનશાસન ! પ્રભુ, આ મહાતીર્થની ભક્તિ માટે, ભગવાન ઋષભદેવની પૂજા-અર્ચના માટે હું બાર ગામ ભેટ આપું છું.’ ગુરુદેવે કહ્યું : ‘રાજેશ્વર, તમારા હૃદયમાં ભગવાન ઋષભદેવ પ્રત્યે આટલી બધી ભક્તિ પ્રગટ થયેલી જોઈને ખરેખર, મને હર્ષ થાય છે. આ તીર્થ તમને ગમ્યું - તેથી તમે ધન્ય બન્યા છો.’ ‘ગુરુદેવ, પાદલિપ્તપુરમાં પહોંચીને મારે કેવાં-કેવાં સત્કાર્ય કરવાં જોઈએ, એ અંગે મને કૃપા કરીને માર્ગદર્શન આપો.' ‘રાજન્, આ ગિરિરાજની તળેટીમાં તમારા તરફથી કાયમ સદાવ્રત શરૂ કરવું જોઈએ. જે કોઈ યાત્રિક અહીં આવે, તે પેટ ભરીને જમે, તૃપ્ત થાય !” એ જ રીતે પાદલિપ્તપુરમાં પણ ગરીબ પ્રજા માટે સદાવ્રત શરૂ કરવું જોઈએ. વર્ષો સુધી એ સદાવ્રતો ચાલ્યા જ કરે, તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ રીતે, આજે તળેટીથી શરૂ કરીને પાદલિપ્તપુર સુધી યાચકોને, ગરીબોને, અપંગોને અને અંધજનોને ખૂબ દાન આપવું જોઈએ ! વર્ષો સુધી એ લોકો યાદ કરતા રહેશે... ‘ગુર્જરેશ્વર રાજા સિદ્ધરાજું અહીં ભગવાન ઋષભદેવની યાત્રા કરવા આવ્યા હતા ! આ રીતે વારંવાર આવે તો સારું !' ગુરુદેવની પ્રેરણા મુજબ રાજાએ સદાવ્રતો શરૂ કરાવી દીધાં. યાચકોને દાન આપવાનું શરૂ કરી દીધું. રાજા સિદ્ધરાજ વરસે એટલે વરસી જાણે ! એણે સોનામહોરો આપી. એણે સુંદર વસ્રો આપ્યાં. તીર્થયાત્રા Jain Education International For Private & Personal Use Only ૪૩ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy