SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યદેવે શાન્ત ભાવે કહ્યું : ‘રાજન્, તમે એવો કયો મોટો અપરાધ કર્યો છે કે મારે તમને ક્ષમા આપવી પડે ? તમારો કોઈ દોષ નથી. માર્ગમાં અમે તમને નથી મળ્યા, તેથી તમારે એમ ના સમજવું કે ‘અમે તમારા પર રોષે ભરાયા છીએ. અમને તમારા સમાગમની જરૂર જ ન હતી ! કારણ કે અમે પગપાળા ચાલીએ, નીરસ ભોજન કરીએ છીએ, અને તે પણ દિવસમાં એક જ વાર, જીર્ણ કપડાં પહેરીએ છીએ, રાત્રિમાં ભૂમિશયન કરીએ છીએ. સદા નિઃસંગ રહીએ છીએ, અને હૃદયમાં એકમાત્ર પરમ જ્યોતિનું ધ્યાન કરીએ છીએ, કહો, આમાં અમારે રાજાની શી જરૂર છે ?' રાજા સિદ્ધરાજ, આચાર્યદેવની વાત સાંભળી જ રહ્યો ! એને સમજાયું કે ખરેખર, આચાર્ય નિઃસંગ અને વૈરાગી છે. એમને મારી જરૂર નથી. મારે એમની જરૂર છે. મને શ્રેષ્ઠ ગુરુદેવ મળી ગયા છે. રાજાએ આચાર્યદેવની ક્ષમા માંગી. ― આચાર્યદેવે આશીર્વાદ આપ્યા. રાજા પોતાના સ્થાને ગયો... પરંતુ પછી તે રોજેરોજ આચાર્યદેવને મળવા લાગ્યો. એમની પાસે બેસીને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન મેળવવા લાગ્યો. એમ કરતાં કરતાં તેમનો સંઘ પાલીતાણા પહોંચી ગયો. શત્રુંજય ગિરિરાજનાં દર્શન કરી સિદ્ધરાજનું હૃદય નાચી ઊઠ્યું. સહુ હર્ષવિભોર બની ગયા. ગુરુદેવની નિઃસ્પૃહતા Jain Education International B For Private & Personal Use Only ૪૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy