SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યોદય હજુ થયો ન હતો. શાસનદેવીએ એ બંને મહાત્માઓને કહ્યું : 'તમને મેં જે બે મંત્ર સંભળાવીને આપેલા છે, તે બે મંત્ર ભૂલાઈ ન જાય, તે માટે તમે આ અમૃત પી જાઓ.’ દેવીએ અમૃતથી ભરેલું કમંડલુ એમની આગળ ધરી દીધું. દેવેન્દ્રસૂરિજીએ કહ્યું : ‘ના, ના, હજુ રાત્રિનો સમય છે, હું નહીં પી શકું.' દેવીએ સોમચન્દ્ર મુનિ સામે અમૃતનું કમંડલુ ધર્યું. સોમચન્દ્ર સમયજ્ઞ હતા. નિયમ અને અપવાદના જાણકાર હતા. તેઓ તુર્ત જ બધું અમૃત ગટગટાવી ગયા ! દેવોનું આકર્ષણ ક૨વાનો મંત્ર અને રાજા-મહારાજાઓને વશ કરવાનો મંત્ર – બંને મંત્ર સોમચન્દ્ર મુનિની સ્મૃતિમાં જડાઈ ગયા... દેવેન્દ્રસૂરિજી... એ બંને મંત્રો ભૂલી ગયા... દેવેન્દ્રસૂરિજીને પાછળથી ઘણો પસ્તાવો થયો... પરંતુ વાત પતી ગઈ હતી ! શાસનદેવીએ બંને મહાનુભાવોને મંત્રશક્તિથી ઉપાડીને પાટણમાં એમના ગુરુદેવ દેવેન્દ્રસૂરિજીની પાસે મૂકી દીધા. શાસનદેવી અદૃશ્ય થઈ ગયાં. દેવેન્દ્રસૂરિજી તથા સોમચન્દ્ર મુનિના મુખે ચમત્કારિક ઘટના સાંભળીને ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજી અત્યંત પ્રસન્ન થયા. સંધના આગેવાનોએ પણ સમગ્ર ઘટના સાંભળી ખૂબ આનંદ વ્યક્ત કર્યો. દેવચન્દ્રસૂરિજીએ વિચાર કર્યો : આ સોમચન્દ્ર મુનિ સિદ્ધ સારસ્વત છે. નાની ઉંમરમાં એ શાસ્રપારગામી બન્યો છે. શાસનદેવીએ પ્રસન્ન થઈને તેને બે મંત્ર આપેલા છે. આ બધી શક્તિઓ હોવા છતાં એ વિનીત છે, વિનમ્ર છે, વિવેકી છે. બુદ્ધિમાન, ગુણવાન, ભાગ્યવાન અને રૂપવાન એવા મારા આ પ્રિય શિષ્યને હું આચાર્યપદ આપું...' દેવેન્દ્રસૂરિજીએ પાટણના સંઘને ભેગો કરીને સોમચન્દ્ર મુનિને આચાર્યપદ આપવાની વાત કરી. સંઘે ખૂબ હર્ષથી હા પાડી. ૨૮ Jain Education International For Private & Personal Use Only સર્વજ્ઞ જેવા સૂરિદેવ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy