SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અને એની આંખોમાંથી વાત્સલ્ય વરસતું હતું. તે બોલી : હું શાસનદેવી છું ! તમારા ઉત્કૃષ્ટ ભાગ્યથી આકર્ષાઈને અહીં આવી છું...' ‘પણ અમને ખેરાલુથી અહીં કોણ લઈ આવ્યું ?' સોમચન્દ્ર મુનિએ પૂછ્યું. બહું જ લઈ આવી છું તમને અહીં !” “અને અમારી સાથે ખેરાલુમાં રાતવાસો કરીને રહેલા વૃદ્ધ મહાત્મા ક્યાં ગયા?” “એ વૃદ્ધ તપસ્વીનું રૂપ મારું જ રૂપ હતું. તમારી વિદ્યાઓ માટેની તીવ્ર અભિલાષા જાણીને, એ રૂપે હું તમને મળી હતી. હું તમને અહીં ગિરનાર મહાતીર્થમાં લઈ આવી છું. આ તીર્થના અધિપતિ છે ભગવાન નેમનાથ. મહાત્માઓ, આ પહાડ અદ્ભુત છે. અહીં અનેક દિવ્ય ઔષધિઓ છે. અહીં કરેલી મંત્રસાધના જલ્દી સિદ્ધ થાય છે. હું તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવીશ અને સાંભળતાંની સાથે જ સિદ્ધ થઈ જાય એવા બે મંત્ર આપીશ. - એક મંત્રથી દેવોને બોલાવી શકાય છે. – એક મંત્રથી રાજા-મહારાજાઓ વશ થાય છે. તમને આ બે મંત્ર હું આપું છું. તમે એકાગ્ર ચિત્તે એ મંત્રોને સાંભળજો.” બે મહાત્માઓને શાસનદેવીએ આ બે મંત્રો સંભળાવ્યા. સંભળાવીને કહ્યું : - “ચાલો, હું તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવું. તમે તે વિણી લેજો. એ ઔષધિઓ, તે તે રોગો ઉપર તત્કાલ અસર કરનારી છે.” શાસનદેવીએ ઔષધિઓ બતાવવા માંડી. એના પ્રયોગ-ઉપયોગ બતાવવા માંડ્યા. અને એમ કરતાં કરતાં... ઘણી બધી ઔષધિઓ એ બંને મહાત્માઓએ ભેગી કરી લીધી. (૨૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy