SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ “મહાનુભાવ, અમે તમારી વાત ઉપર વિચાર-વિનિમય કરીને યોગ્ય નિર્ણય લઈશું.' પેલો પુરુષ ચાલ્યો ગયો. દેવેન્દ્રસૂરિએ સોમચન્દ્ર મુનિ સામે જોયું. સોમચન્દ્ર મુનિએ કહ્યું : “આ માણસની વાત મને તો ગમી ! જો. ગુરુદેવ રજા આપે તો આપણે બે જઈએ ગૌડદેશમાં.” “મારા મનમાં પણ જવાની ભાવના થાય છે! જવાથી કંઈક તો પ્રાપ્ત કરી શકાશે... ચાલો, ગુરુદેવને વાત કરીએ.' બંને મહાત્માઓ ગયા ગુરુદેવશ્રીની પાસે. બધી વાત કરી અને ગૌડદેશમાં જવાની અનુમતિ માંગી. ગુરુદેવે અનુમતિ આપી. આશીર્વાદ આપ્યા. દેવેન્દ્રસૂરિજી અને સોમચન્દ્ર મુનિએ પાટણથી પ્રયાણ કર્યું. બધા જ સારા શુકન થયા. સોમચન્દ્ર મુનિએ કહ્યું : સૂરિદેવ, શુકનો બહુ સારા થાય છે. જરૂર આપણી કાર્યસિદ્ધિ થશે.” “સાચી વાત છે તમારી. મહાન કાર્યસિદ્ધિ થવી જોઈએ.” તેઓ વિહાર કરતા કરતા એક દિવસે સંધ્યા સમયે ખેરાલુ નામના ગામમાં જઈ પહોંચ્યા. ઉપાશ્રયમાં રાત્રિ પસાર કરવા રોકાયા. સાંજનું પ્રતિક્રમણ કરવાની તૈયારી કરતા હતા, ત્યાં ઉપાશ્રયમાં એક વૃદ્ધ સાધુ આવી પહોંચ્યા. – પૂરી છ ફૂટની ઊંચાઈ... - ભવ્ય શરીર... પરંતુ વૃદ્ધાવસ્થાની અસર... આંખોમાં અપૂર્વ તેજ... અને સુંદર રૂપ ! આવતાં જ તેમણે પૂછ્યું : મહાત્માઓ, હું અહીં રાત્રિવાસ રહી શકીશ ?' “પધારો મહાત્મા, આપ અહીં અમારી સાથે રાતવાસો કરી શકશો. અમને આનંદ થશે.' સોમચન્દ્ર મુનિએ દેવેન્દ્રસૂરિજીના કાનમાં કહ્યું : “મને તો આ શાસનદેવી પ્રસન્ન થાય છે . ૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy