SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ બોલ્યા : “પ્રભુ, ક્યાં છે એ સોનામહોરોનો ઢગલો ? ક્યાં જોયો આપે ? ભગવંત, સાચે જ, એ સોનામહોરો હતી... પરંતુ મારા પ્રબળ દુર્ભાગ્યથી એ સોનામહોરો અને સોનું-ચાંદી કોલસા બની ગયાં હતાં. મેં એ કોલસાનો ઢગલો ઘરના એક ખૂણામાં મૂકી રાખ્યો હતો.' “શેઠ, તમારા એ ઢગલા પર અમારા બાલ મુનિ સોમચન્દ્રની દૃષ્ટિ પડી અને કોલસા પાછા સોનામહોર બની ગયા !” ધનદ શેઠે સોમચન્દ્ર મુનિના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું : ભગવંત, આપના ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથી મારી કોલસા બની ગયેલી સોનામહોરો પુનઃ સોનામહોરો બની ગઈ. આપે મને ઘોર નિર્ધનતાના કૂવામાંથી બહાર કાઢ્યો. હવે આપ મારા પર બીજી એક કૃપા કરો. એ સોનામહોરોના ઢગલા ઉપર આપ હાથ મૂકીને પધારો. જેથી, આપના અહીંથી ગયા પછી એ સોનામહોરો પાછી કોલસા ન બની જાય !” ધનદ શેઠની વિનંતીથી સોમચન્દ્ર મુનિએ સોનામહોરોના ઢગલા પર હાથ મૂક્યો. ધનદ શેઠે મુનિરાજોના દેખતાં જ એ સોનામહોરો તિજોરીઓમાં મૂકી. વારંવાર ધનદ શેઠે સોમચન્દ્ર મુનિનો ઉપકાર માન્યો. મુનિવરોએ ભિક્ષા લીધી અને ઉપાશ્રય તરફ ચાલ્યા. ધનદ શેઠ પણ મુનિરાજોની પાછળ-પાછળ ઉપાશ્રય તરફ ચાલ્યા. ધનદ શેઠના મનમાં એક શુભ વિચાર જાગ્યો હતો. એ શુભ વિચારને અમલમાં મૂકવા માટે તેઓ ઉપાશ્રયે જતા હતા. ઉપાશ્રયે પહોંચીને ધનદ શેઠે આચાર્યદેવને વંદના કરી. તેણે ગદ્ગદ સ્વરે કહ્યું : “ગુરુદેવ, આપના શિષ્ય સોમચન્દ્ર મુનિના પુણ્યપ્રભાવથી, કોલસા બની ગયેલી મારી સોનામહોરો, ફરીથી સોનામહોરો બની ગઈ છે. આપના શિષ્યના પ્રભાવનું આ ફળ છે, માટે એ સુવર્ણ આપનું છે ! માટે કૃપા કરીને આજ્ઞા કરો કે હું એ સુવર્ણનો ક્યાં ક્યાં ઉપયોગ કરું ?' નાગપુરમાં એક ચમત્કાર ! ૧૯ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy