SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ હવેલીમાં ચારેબાજુ જોયું, એ જે શેઠ રાબ પીતા હતા તે રાબ પણ જોઈ. સોમચન્દ્ર મુનિને આશ્ચર્ય થયું. તેમણે ખૂબ ધીમા અવાજે વીરચન્દ્ર મુનિને કહ્યું : “હે પૂજ્ય, આ શેઠ આટલા મોટા ધનવાન હોવા છતાં નિર્ધન મનુષ્યની જેમ રાબ કેમ પીએ છે? આ તો રાજાની જેમ ૩૨ શાક અને ૩૩ મીઠાઈઓ ખાઈ શકે એવા છે !' વીરચન્દ્ર મુનિવરે કહ્યું : “મુનિવર, તમે હંમેશાં શ્રીમંતોનાં ઘરોમાંથી મીઠાઈઓ લાવો છો એટલે તમને નિર્ધન માણસની સ્થિતિની ક્યાંથી ખબર હોય ? જો તમે ક્યારેક દુઃખી નિર્ધન શ્રાવકોના ઘરે ગોચરી જાઓ તો એમની સ્થિતિનું ભાન થાય !' સોમચન્દ્ર મુનિએ કહ્યું : “હે મહાત્મનું, તમે આ શ્રેષ્ઠીને નિર્ધન કહો છો? ઘરના પેલા ખૂણામાં તો સોના-ચાંદીનો અને સોનામહોરોનો ઢગલો પડેલો હું જોઉં છું !” વીરચન્દ્ર મુનિએ આશ્ચર્યથી પૂછ્યું : “ક્યાં છે એ સોનામહોરોનો ઢગલો ?” સોમચન્દ્ર મુનિએ ઇશારાથી ઢગલો બતાવ્યો. વીરચન્દ્ર મુનિએ તેજથી ઝગમગતો એ ઢગલો જોયો. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ધનદ શેઠ એ બે મુનિરાજોની પાસે જ ઊભા હતા. તેમણે વીરચન્દ્ર મુનિને પૂછ્યું : “ગુરુદેવ, આ બાલ મુનિરાજ શું કહે છે ?' વરચન્દ્ર મુનિએ કહ્યું : “એ તો સહજ-સ્વાભાવિક વાત હતી.” પરંતુ ધનદ શેઠ આમ વાત જતી કરે એવા ન હતા. એમના કાને “સોનામહોર' શબ્દ પડી ગયો. તેમણે આગ્રહપૂર્વક મુનિરાજને કહ્યું : ગુરુદેવ, આપ દયા કરો. વાતને ટાળો નહીં. મારા કાને થોડા શબ્દો તો પડેલા છે. આપ કહેશો તો મારા ઉપર મોટો ઉપકાર થશે.” વરચન્દ્ર મુનિવરે કહ્યું : “આ બાલ મુનિએ, તમારી હવેલીના પેલા ખૂણામાં સોનામહોરોનો ઢગલો પડેલો જોયો, અને કહ્યું : આ શેઠ આટલા મોટા ધનવાન હોવા છતાં મીઠાની રાબ કેમ પીએ છે ?” ધનદ શેઠ ચમકી ઊઠ્યા... તેમની આંખો પહોળી થઈ ગઈ, તેમણે બે હાથે વીરચન્દ્ર મુનિને પકડીને ઢંઢોળી નાંખ્યા, આજીજી કરતા (૧૮ - સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy