SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતીના ધ્યાનમાં લીન થઈ ગયા. રાત્રિના છ કલાક વીતી ગયા. મુનિરાજ સ્થિર મનથી જાપ-ધ્યાન કરી રહ્યા હતા... અને દેવી સરસ્વતી સાક્ષાત્ પ્રગટ થયા.. દેવીએ મુનિ પર સ્નેહની સરિતા વહાવી. કૃપાનો ધોધ વરસાવ્યો. દેવીએ કહ્યું : “વા, હવે તારે મને પ્રસન્ન કરવા કાશ્મીર જવાની જરૂર નથી. તારી ભક્તિ અને ધ્યાનથી હું દેવી સરસ્વતી, તારા પર પ્રસન્ન થઈ છું. મારા પ્રસાદથી તું સિદ્ધ સારસ્વત થઈશ.” આટલું કહીને દેવી તત્કાલ અદશ્ય થઈ ગઈ. જિનાલયમાં સુગંધ-સુગંધ ફેલાઈ ગઈ. સોમચન્દ્ર મુનિની મુખાકૃતિ પર તેજસ્વિતા છવાઈ ગઈ. તેમની પ્રજ્ઞા તત્કાલ વિકસિત થઈ ગઈ. તેમના મુખમાંથી સરસ્વતીની સ્તુતિઓનો પ્રવાહ વહેવા લાગ્યો. તેમનો હર્ષ ઊછળી રહ્યો. ક્યારે પ્રભાત થઈ ગયું તેની ખબર જ ન પડી. તેમણે ભગવાન નેમનાથની સ્તવના કરી. તેઓ ધર્મશાળામાં આવ્યા. સાથી મુનિએ કહ્યું : “મુનિવર, આપણે પાછા ગુરુદેવ પાસે જવાનું છે. જે કાર્ય કાશ્મીર જઈને કરવાનું હતું, તે કાર્ય અહીં જ થઈ ગયું છે...' - બંને મુનિવરો પૂજય ગુરુદેવની પાસે પહોંચી ગયા. ગુરુદેવે સોમચન્દ્ર મુનિના મુખ પર પરિવર્તન જોયું. અપૂર્વ તેજ જોયું. ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા. સોમચન્દ્ર મુનિએ ગુરુદેવને વંદના કરી અને રાત્રિનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. ગુરુદેવે નિખાલસ હૃદયે સોમચન્દ્ર મુનિની પ્રશંસા કરી. ગુણવાન શિષ્યની ગુરુ પણ પ્રશંસા કરતા હોય છે. ગુરુદેવે કહ્યું : “વત્સ, મૃતદેવી સરસ્વતીની અભુત કૃપા તને પ્રાપ્ત થઈ છે. તારું મહાન સૌભાગ્ય ઉદયમાં આવ્યું છે. હવે તું દુનિયાના કોઈ પણ વિષય પર લખી શકીશ, બોલી શકીશ, બીજાઓને સમજાવી શકીશ. તારી વાણી પ્રભાવશાળી બનશે. તું રાજા-મહારાજાઓને પણ પ્રતિબોધ આપીને | મુનિ સોમચંદ્ર ૪ ૧૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy