SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળવાં મને ખૂબ ગમે છે !' આઢર શેઠને આનંદ થયો. તેમણે કહ્યું : “નરવીર, હું પણ તારી સાથે તારા ગુરુનાં દર્શન કરવા આવીશ.” આઢર અને નરવીર યશોભદ્રસૂરિ પાસે ગયા. આચાર્યનો ઉપદેશ સાંભળીને આઢર ખુશ થયો. પછી તો રોજનો કાર્યક્રમ બની ગયો. આઢરે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા. આઢર શ્રેષ્ઠીએ એક ભવ્ય દેરાસર બંધાવ્યું. યશોભદ્રસૂરિજીની પાસે ભગવાન મહાવીર સ્વામીની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ભવ્ય મહોત્સવ કર્યો. આચાર્યદેવશ્રીને વિહાર કરીને બીજા ગામે જવું હતું, પરંતુ આઢર શેઠના અતિ આગ્રહથી તેઓએ એકશિલામાં ચાતુર્માસ કરવાનો નિર્ણય કર્યો. ચોમાસામાં જેમ ધોધમાર વરસાદ વરસે, તેમ આચાર્યની દેશના પણ ધોધમાર વરસવા લાગી. આઢર શેઠનું હૈયું નાચે છે ! નરવીરનો હર્ષોલ્લાસ ઊછળે છે ! શેઠ અને નોકર રોજ પરમાત્માની પૂજા કરે છે. શેઠ અને નોકર રોજ ગુરુદેવનો ઉપદેશ સાંભળે છે. પર્યુષણ મહાપર્વ આવ્યાં. શેઠની સાથે નરવીર દેરાસર જાય છે. શેઠ પોતાની સામગ્રીથી પરમાત્માની પૂજા કરે છે, નરવીર માલણ પાસેથી પાંચ કોડીનાં ફૂલ લઈને પૂજા કરે છે. ભક્તિનો ભાવ ઊછળે છે ! સંવત્સરીના દિવસે શેઠ-શેઠાણી અને ઘરના બધા જ માણસો ઉપવાસ કરે છે. નરવીર પણ ઉપવાસ કરે છે. પારણાના દિવસે મુનિવરોને ભિક્ષા આપ્યા પછી જ શેઠની સાથે નરવીર પારણું કરે છે. ઘરના બધા જ લોકો નરવીરને “સાધર્મિક (૧૭૮ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy