SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. બાદશાહનું અપહરણ કર્યું || પાટણ જૈન સંઘની અને રાજા કુમારપાલની વિનંતીથી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિ પાટણમાં ચાતુર્માસ કરવા પધાર્યા હતા. આચાર્યદેવે પહેલા જ દિવસે વ્યાખ્યાનમાં કહ્યું : “ચાતુર્માસમાં શ્રાવકોએ એક ગામ-નગરમાં જ રહેવું જોઈએ, કારણ કે વરસાદના દિવસોમાં નાના-નાના જીવો ઘણા જન્મે. ઘરમાં જન્મ અને માર્ગમાં કે જન્મે. ગામમાં જન્મ અને જંગલમાં ય જન્મે. પગે ચાલીને જવાથી કે વાહનમાં બેસીને જવાથી એ જીવો મરી જાય. તમારા હૃદયમાં જીવદયાનો ધર્મ વસેલો હોય તો તમારે ચાતુર્માસમાં મુસાફરી ના કરવી જોઈએ.' આ ઉપદેશ સાંભળીને મહારાજા કુમારપાલે ઊભા થઈને, બે હાથ જોડીને, મસ્તક નમાવીને, ગુરુદેવને કહ્યું : “ગુરુદેવ, મને પ્રતિજ્ઞા આપો, હું ચાતુર્માસમાં પાટણની બહાર નહીં જાઉં. પાટણમાં પણ દેરાસરે અને ઉપાશ્રયે જ જઈશ. એ સિવાય કોઈ સ્થળે ફરવા નહીં જાઉં.” રાજાએ પ્રતિજ્ઞા લીધી. પ્રજાજનોએ પણ પ્રતિજ્ઞા લીધી. આવી મહાન પ્રતિજ્ઞાની પ્રશંસા દેશ-વિદેશમાં થવા લાગી. ગામેગામ કુમારપાલનાં ગીતો ગવાવા લાગ્યાં. વાત પહોંચી ઈરાન-દેશમાં. બાદશાહ મહમદે વિચાર કર્યો : “ચોમાસાના દિવસોમાં જો હું ગુજરાત ઉપર ચઢાઈ કરું તો કુમારપાલ યુદ્ધ કરવા નહીં આવે. તે પાટણની બહાર જ નહીં નીકળે. હું સરળતાથી ગુજરાત ઉપર વિજય મેળવીશ.” આમે ય ગુજરાત જેવા સમૃદ્ધ રાજય પર વિજય મેળવવાની મહમદની ઇચ્છા તો હતી જ. એણે તક ઝડપી લીધી. બાદશાહનું અપહરણ કર્યું ૧૩૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy