SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શજાનો કોઢ-શૅન મઢાડયો મનુષ્ય જ્યારે કોઈ સારું કામ કરવાની પ્રતિજ્ઞા લે છે, ત્યારે કોઈ પણ રીતે એની પરીક્ષા થતી હોય છે. સત્ત્વશીલ મનુષ્ય અડગ રહે છે. સત્ત્વહીન પુરુષ ડગી જાય છે. એક દિવસની વાત છે. રાજમહેલમાં ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિ અને રાજા કુમારપાલ તત્ત્વચર્ચા કરતા બેઠા હતા. ત્યાં દેવી કંટકેશ્વરીના મંદિરના પૂજારીઓએ આવીને, બંનેને પ્રણામ કરીને કહ્યું : “મહારાજા, આપ જાણો છો કે દેવી કંટકેશ્વરી આપની ગોત્રદેવી છે. નવરાત્રના દિવસોમાં, છેલ્લા ત્રણ દિવસ દેવીને પશુ-બલિદાન આપવામાં આવે છે અને દેવીની વિશિષ્ટ પૂજા થાય છે. સાતમના દિવસે સાતસો બકરા ને સાત પાડાઓનું બલિદાન આપવામાં આવે છે. આઠમના દિવસે આઠસો બકરા અને આઠ પડાઓનું બલિદાન આપવામાં આવે છે. નોમના દિવસે નવસો બકરો અને નવ પાડાઓનું બલિદાન આપવામાં આવે છે. આ રીતે કુલ ૨૪૦૦ બકરાં અને ૨૪ પાડા આજે આપી દેવાની કૃપા કરો, એટલે દેવીપૂજાનું કાર્ય સારી રીતે પતી જાય. જો આ રીતે બલિદાન આપવામાં ના આવે તો દેવી રૂઠે અને અનર્થ કરે.' આ પ્રમાણે કહીને પૂજારીઓ ઊભા રહ્યા. રાજાએ ગુરુદેવની સામે જોયું અને કાનમાં કહ્યું : આનો ઉત્તર શું આપું ?’ ગુરુદેવે કાનમાં કહ્યું : જિનેશ્વરદેવો તો કહે છે કે દેવ-દેવીઓ જીવહિંસા કરે નહીં અને માંસાહાર કરે નહીં. હા, કેટલાંક દેવ-દેવીઓને કૌતુક જોવાનું બહુ ૧૦૦ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy