________________
એવું જ બન્યું, અને મેં મહારાજજીને જણાવ્યું ઉપશ્રમશ્રેણી-ક્ષપકશ્રેણીના સંબંધમાં આપશ્રીએ કહ્યું હતું તેવું જ મારા માટે થયું. અસ્તુ. આ વાચનના દિવસો દરમ્યાન સાગરના ઉપાશ્રયની સામે રહેતા શ્રી લહેરૂભાઈ નિહાલચંદ નામના વયોવૃદ્ધ ઉપાસક, તેમના રોજના ક્રમ મુજબ, રાત્રે મહારાજજીની પાસે બેસતા. મહારાજજી કામ કરતાં વિસામો લે તે સમયમાં શ્રી લહેરૂભાઈ સાથે તદનુરૂપ વાતચીત કરતા. હું અહીં જણાવેલ હકીકત સમજવા બેસતો ત્યારે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી હું તે સંબંધમાં પુનઃ પુનઃ પૂછતો. આથી એક દિવસ શ્રી લહેરૂકાકાએ મહારાજજીને કહ્યું કે ‘‘સાહેબ ! મારું માનો તો અમૃતને જો આપ દીક્ષા આપો તો આપની પાટ દીપાવશે.’’ જવાબમાં મહારાજજીએ કહ્યું કે ‘“જો અમૃત તેના આંતરિક વૈરાગ્યથી દીક્ષા લેવાનું કહે તો આ દિવસો ચાતુર્માસના છે અને રાતના બાર વાગ્યા છે, તો પણ હું તેને અત્યારે દીક્ષા આપું, અને એ માટે જે કંઈ નિયમનું ઉલ્લંઘન થાય તે માટે હું ગુરુવર્ગ પાસે પ્રાયશ્ચિત્ત લઉં !'' મારા ઉપર મહારાજજીની આવી અંતરની કૃપા હતી અને તે છેવટ સુધી ટકી રહી એ મારું મોટું સદ્ભાગ્ય માનું છું.
૧૬. પૂ. પા. મહારાજજી સાથે કામ કરતાં પ્રાસંગિક રીતે મને અનેકવાર ઉપયોગી માહિતીઓ અને શિખામણો મળતી રહેતી. પણ તેઓશ્રી પાસેથી ઉપદેશ મેળવવાનો કેવળ એક જ પ્રસંગ બનેલો અને તે મારે મન ચમત્કારિક પ્રસંગ બની ગયો. આ પ્રસંગ આ પ્રમાણે છે : વિ. સં. ૧૯૯૮ના કાર્તિક સુદ ૧ (બેસતા વર્ષ)ની વહેલી સવારે હું, દર વર્ષના નિયમ મુજબ, સાગરના ઉપાશ્રયે (પાટણ) મહારાજજીને વંદન કરવા ગયો. વંદન કરીને સાતા પૂછ્યા પછી મહારાજજીએ કહ્યું : ‘“અમૃત ! ભગવાને કહ્યું છે કે સાંસારિક ભાવોને તમે છોડો. જો નહીં છોડો તો એવો એક દિવસ અચૂક આવશે કે જે દિવસે આ સાંસારિક ભાવો તમને તો અચૂક છોડશે.’’ બન્યું એવું કે વિ. સં.૧૯૯૮ના પોષ સુદ ૧ ના દિવસે હું વિધુર થયો, કેટલાક મહિનાઓ ગયા પછી મહારાજજીને મેં કહેલું કે ‘‘સાહેબ ! આપે મને આટલા વર્ષોમાં એક જ વાર ઉપદેશ આપ્યો, અને તેનો અનુભવ પણ થયો.’' મહારાજજીએ કહ્યું : ‘‘ભાઈ ! ગઈ દિવાળીની રાત્રે હું આચારાંગસૂત્ર વાંચતો હતો, વાંચતાં જે કંઈ ચિંતન થયેલું તેનો નિષ્કર્ષ, તું વહેલી સવારે આવ્યો ત્યારે, મેં તને સહજભાવે કહ્યો હતો.’'
૧૭. એક વિચક્ષણ સંપન્ન દીક્ષાર્થી બહેન ‘પોતે દીક્ષા કોની પાસે લેવી?’ તેના નિર્ણય માટે અન્યાન્ય સાધ્વીજી મહારાજના સમુદાયોમાં જતાં અને ત્યાં લાંબો સમય રહેતાં. આ ક્રમ પ્રમાણે તે બહેન પાટણમાં પણ રહેલાં. પોતાને જે સમુદાયમાં દીક્ષા લેવી હોય તે સમુદાયની ચકાસણી માટે આ બહેન શક્ય બધી જ તપાસ કરતાં. પોમેનનો સદ્ભાવ સંપાદિત કરીને તે તે સાધ્વીજી મહારાજની ટપાલ પણ લેતાં, એટલું જ નહીં, તે ટપાલ કવરમાં હોય તો તેને સિફતથી ખોલીને વાંચી લઈ પુનઃ યથાવત્ કરીને મૂળ માલિકને સોંપતાં, તો કોઈક પત્ર પોતાની પાસે પણ રાખી લેતાં ! દીક્ષાર્થી એટલે પાપભીરુ તો હોય જ, પણ દીક્ષા લીધા પછી પોતાની સંયમ-સાધનામાં અજંપો ન રહે તે માટે આ બહેન આવી આવી ચિકિત્સા કરતાં. આવું જ કંઈક પાટણમાં પણ થયું. સાંવત્સરિક પ્રતિક્રમણમાં પોતાના અપરાધોની સવિનય ક્ષમા માગતાં ગુરુણીજી તરફથી આ બહેનની ખૂબ જ અસહ્ય નિર્ભર્ત્યના થઈ. સવારે આ બહેન મહારાજજી પાસે આવ્યાં, પોતાને થયેલા દુઃખની વાત કરીને
શ્રી પુણ્યચરિત્રમ્
77
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org