SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આ આગમો તૈયાર કરીએ છીએ, એ વિદ્વાનો તપાસે; તપાસીને સ્ખલના હોય તેમ જ સંપાદન-પદ્ધતિમાં દોષ હોય, તો તેનું ભાન કરાવશે તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનારા તો ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડે એવા વિદ્વાનો ઘણા ઓછા મળે છે. હું ઈચ્છુ છું કે તેઓ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેનો ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરશું.'’ (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૯૬) જ્ઞાનજ્યોતિની જીવનરેખા લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ આ ઉદ્ગારો સ્વર્ગસ્થ પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના છે. મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આપણાં બધાં પવિત્ર મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવા માટે ‘‘જૈન-આગમ-ગ્રન્થમાલા’' શરૂ કરી છે. આ ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથ ‘‘નંદિસુત્ત અણુઓગદ્દારાઇ ચ’’ના પ્રકાશન સમારોહ, વિદ્યાલયના સુવાર્ણ મહોત્સવની ઊજવણી પ્રસંગે, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રવચન કરતાં મહારાજશ્રીએ આ ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. આ ઉદ્ગારો ઉત્કટ સત્યનિષ્ઠા, સત્યને સમજવા અને સ્વીકારવાની ઝંખના, સરળતા, સહૃદયતા અને વિનમ્રતાથી પવિત્ર બનેલા અંતઃકરણની આરસી બની રહે એવા વિમળ અને વિરલ છે; અને એ એના ઉદગાતાની મહત્તા અને મહાનુભાવતાની સાક્ષી પૂરે છે. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજનું જ્ઞાન કેવું જીવનસ્પર્શી હતું અને જીવન કેવું જ્ઞાનમય અને સત્યલક્ષી હતું, તે આ ઉપરથી પણ સમજી શકાય છે. જે ધર્મનાયક પોતાના કાર્યની કદર કરવાની નહીં પણ પોતાના કામમાં રહેલ ખામીઓ જણાવવાની, સામે ચાલીને, માગણી કરે એમને મન ધર્મનિષ્ઠા અને સત્યનિષ્ઠાનું મૂલ્ય કેટલું ઊંચું હશે ! અને એ એમના જીવનમાં કેવી એકરૂપ બની ગયેલ હશે ! ΟΥ આનો ભાવ એ છે કે અંતરમાં સત્યની ચાહના જાગે તો જીવન-વિકાસનું પહેલું પગથિયું સોંપડે. સાચું વિચારવું, સાચું બોલવું અને સાચું આચરવું એ જ ધર્મનો માર્ગ અને એ માર્ગે ચાલવું એ જ માનવજીવનનો મહિમા. સત્યને માર્ગે ચાલવા માટે જે છળપ્રપંચ, દંભ અને અહંકારથી અળગો રહે અને સરળતા, નિખાલસતા અને નમ્રતાને અપનાવે, એ સાચી ધાર્મિકતાના અમૃતનું પાન કરીને જીવનને અમૃતમય બનાવી શકે અને આહિંસા તથા કરુણાની ભાવનાથી સભર એવી સમતાને માર્ગે વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રીનો પવિત્ર નાતો કેળવી શકે. પણ આ માટે સૌથી પહેલાં નિર્દભવૃત્તિ કેળવીને જીવનને સત્યગામી બનાવવું ઘટે. તેથી જ કવિવર શ્રી ઉદયરત્નજીએ કહ્યું છે કે– 19 Jain Education International સમિકતનું મૂળ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમિત વસે જી, માયામાં મિથ્યાત્વ રે, પ્રાણી ! મ કરીશ માયા લગાર. For Private & Personal Use Only શ્રી પુણ્યચરિત્રમ્ www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy