________________
ઓળખી કાઢવાની અને અન્ય સાહિત્યનાં પુસ્તકોની વિશેષતાને પણ પામી જવાની મહારાજશ્રીની ચકોર દષ્ટિ, આવડત અને સૂઝ ખરેખર અનોખી હતી. પ્રાચીન પ્રતોની કિંમત પણ તેઓ બરાબર આંકી શકતા. આવાં પુસ્તકો વેચનારાઓ પાસેથી તેઓએ જે હસ્તપ્રતો ખરીદાવી હતી તેની સંખ્યા હજારો ઉપર પહોંચી જાય એવી મોટી છે. આવી જૂની કે કળાના નમૂનારૂપ વસ્તુઓ વેચનારને યોગ્ય વળતર મળી રહે, એ માટેની મહારાજશ્રીની ચીવટ તેઓના જીવન સાથે એકરૂપ બની ગયેલ ઉદારતા અને ભવ્યતાનું જ પરિણામ કહી શકાય.
(૩) પોતાના ગુરુવર્ય સાથે, બીજા વિદ્વાનો સાથે તેમ જ એકલે હાથે મહારાશ્રીએ જૈન આગમો, અન્ય પ્રાચીન જટિલ જૈન શાસ્ત્રીય તેમજ બીજા ગ્રંથો અને ઈતર સાહિત્યના ગ્રંથોનું જે સંશોધન-સંપાદન કર્યું છે, તે તેઓની મધ્યસ્થવૃત્તિ, સમભાવપૂર્ણતા, સત્યની શોધની તાલાવેલી અને પ્રાચીન કઠિન ગ્રંથોને સમજવાની સિદ્ધહસ્તતાનું સૂચન કરે એવું છે. તેઓએ સંશોધિત-સંપાદિત કરેલ ગ્રંથોએ દુનિયાના વિદ્વાનોની પ્રશંસા મેળવવા સાથે સંશોધનકળાના શ્રેષ્ઠ નમૂના તરીકે પણ નામના મેળવી છે. તેમાંય જૈન-આગમો અંગેનું મહારાજશ્રીનું જ્ઞાન તો જેટલું ઊંડું એટલું જ વ્યાપક અને એટલું જ મૂળગામી હતું. એકબીજાં આગમસૂત્રો વચ્ચેના આંતરપ્રવાહોના તો તેઓ અનન્ય જ્ઞાતા જ હતા.
જ્ઞાનભંડારોના ઉદ્ધારનું, પ્રાચીન હસ્તપ્રતોની સાચવણીનું અને પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથોના સંશોધનનું કામ તો, ધૂળધોયાના ધંધાની જેમ, ઉત્કટ અંત, અપાર ધીરજ અને અનન્ય શ્રુતભકિત માગી લે એવું અતિમુશ્કેલ કામ ગાગાય. મહારાજશ્રીમાં આ ગુણો પૂરી માત્રામાં પ્રગટ્યા હતા. બીજાં બીજાં કામોની ગમે તેવી ભીંસ વચ્ચે પાણ આ કામોને તેઓ, લેશ પણ ઉતાવળ કર્યા વગર, પૂરી સ્વસ્થતાથી ન્યાય આપવા ટેવાયા હતા. તેઓની વિરલ સફળતાની આ જ ચાવી હતી.
(૪) વળી, પ્રાચીન-અર્વાચીન ચિત્રો, નાની-મોટી મૂર્તિઓ, સચિત્ર હસ્તપ્રતો, શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ અને લાકડા કે ધાતુની કે બીજી કળાસામગ્રીનું મૂલ્યાંકન કરવાની તેઓશ્રીની કોઠાસૂઝ અને એ બધાનો સંગ્રહ કરીને એને સુરક્ષિત બનાવવાની વૃત્તિ, અને સાથે સાથે એ બધી સામગ્રી પ્રત્યેની અલિપ્તતા તેના પ્રત્યે વિશેષ આદર પ્રેરે એવી હતી.
| (૫) અને જૈન વિદ્યા કે ભારતીય વિદ્યાના વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓ માટે તો તેઓ જ્ઞાનકોષ અને જ્ઞાનતીર્થરૂપ જ હતા. તેઓને જોઈતી માહિતી, સામગ્રી અને ક્યારેક તો ખર્ચમાં પૂરક થઈ રહે એવી સહાય પણ તેઓશ્રી પાસેથી મળતી; ઉપરાંત, કોઈ કોઈ ગ્રંથની વિરલ હસ્તપ્રત પણ મહારાજશ્રીની પોતાની પાસેના જ્ઞાનભંડારમાંથી મળી રહેતી, મહારાજશ્રીની હંમેશાં એ ઝંખના રહેતી કે કોઈ પણ વિદ્યાના સાધકની સાધના જરૂરી માહિતી, સામગ્રી કે સહાયના અભાવે રૂંધાવી ન જોઈએ. આ ક્ષેત્રની મહારાજશ્રીની કામગીરી ઉદારતાનો એક ઉત્તમ નમૂનો બની રહે એવી છે. જૈન વિદ્યાના અધ્યયન-સંશોધનમાં દેશ-વિદેશના વિદ્વાનોને ઉદારતાથી સહાય કરવાની જે ઉપયોગી પ્રવૃત્તિ સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે વ્યવસ્થિતપણે શરૂ કરી હતી, તેનું સાતત્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ સાચવ્યું હતું.
(૬) જ્ઞાનોધ્ધારના કાર્યમાં જેના વગર ચાલે નહીં એવા લહિયાઓ તૈયાર કરવાની દિશામાં પણ મહારાજશ્રીએ, તેમ જ એમના ગુરુશ્રી અને દાદાગુરુશ્રીએ, જે કામગીરી બજાવી હતી તે તેઓની દીર્ધદષ્ટિ અને 201
શ્રી પુણ્યચરિત્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org