________________
મળતા રહ્યા છે. શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલાના સફળ સંચાલન ઉપરાંત બીજી અનેક રીતે આ સભાને પ્રતિષ્ઠિત કરવામાં તેમનો ફાળો અજોડ છે. આ સભાએ વિ. સં. ૨૦૨૩માં પોતાનો સિત્તેર વર્ષનો મણિમહોત્સવ કોજવ્યો, ત્યારે અન્ય પુષ્કળ કામગીરી હોવા છતાં અને તબિયત પણ બરાબર ન હોવા છતાં સભાના કાર્યવાહકોની વિનંતિને સ્વીકારીને અતિશય શ્રમ વેઠીને અમદાવાદથી વિહાર કરી ભાવનગરમાં તે મણિમહોત્સવની શાન અને ૌરવ વધારવા પોતે પધાર્યા તેજ તેમની આ સભા પ્રત્યેની હમદર્દી દર્શાવે છે. આ સભા સદાને માટે તેમની અત્યંત ઋણી છે.
મુનિશ્રી પુણવિજ્યજી મહારાજ ખરેખર જ્ઞાનની સાધના કરનાર તપસ્વી છે. આજે ૭૪ વર્ષની ઉંમરે પણ તેમની જ્ઞાનસાધના પૂર્ણ ઉત્સાહ, પૂર્ણ એકાગ્રતા, પૂર્ણ એકનિષ્ઠાથી ચાલે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મૂળ આગમોની સંપૂર્ણ સંશોધિત આવૃત્તિ તૈયાર કરી પ્રસિદ્ધ કરવાની યોજનાના પાયામાં તેઓ પોતે છે અને આજે અવિરતપણે તેઓ તે કાર્ય માટે જે જહેમત ઉઠાવી રહ્યા છે તે આપણને આશ્ચર્યચકિત કરી દે છે.
આટલી બધી વિદ્રત્તા હોવા છતાં આ જ્ઞાનતપસ્વીમાં જરા પણ અહંભાવ નથી. તેઓ હંમેશાં જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા તૃપ્ત કરવા તૈયાર જ હોય છે, અને તે માટે પોતાને પડતા પરિશ્રમ કે પોતાના કામમાં પડતી ખલેલની જરા પણ દરકાર કરતા નથી. ઘણીવાર જિજ્ઞાસુઓ અને મુલાકાતીઓનો પ્રવાહ વહેતો રહે છે અને તેમના હાથ ઉપરના કામમાં વિક્ષેપ થાય છે, છતાં જરા પણ અચકાયા વિના સૌને પ્રસન્ન વદને મળે છે, અને સૌને સંતોષ આપે છે. તેમની આ સૌમ્નયતા ખરેખર પ્રશંસનીય છે. નિરહંકારતાની સાથે સાથે તેઓ નમ્ર અને ઉદાર છે. પોતાના મોટા કાર્યને નજીવું ગાગવાની અને બીજાએ કરેલા નાના કાર્યને મોટું બતાવવાની વૃત્તિ તેઓ ધરાવે છે. શ્રી આત્માનંદ સભાના તો તેઓ પ્રાગ છે, છતાં તે સભાના મણિમહોત્સવ પ્રસંગે પોતાના કાર્યને એક બિંદુ સમાન ગણાવતાં તેમણે કહ્યું હતું કે, “ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મ.ના સ્વર્ગવાસ પછી આત્માનંદ સભા માટે સાહિત્ય પ્રગટ કરવા અંગેની જવાબદારી અમારી ઉપર આવી છે. સભાએ જે સેવા કરી છે તેમાં અમે પણ બિંદુ મેળવ્યું છે તે અમારા આનંદની વાત છે.”
તેઓશ્રીની સત્યનિષ્ઠા પણ અજોડ છે. સત્ય વસ્તુ સ્વીકારતાં જરા પણ અચકાતા નથી, એટલું જ નહીં પણ અપ્રિય હોય તેવું સત્ય વિવેકપૂર્ણ ભાષામાં કહી દેતાં પણ જરાયે ક્ષોભ અનુભવતા નથી. આ બાબતમાં બૃહત્કલ્પસૂત્રના પહેલા ભાગની પ્રસ્તાવનામાં અપવાદિક બાબતોની તેમણે જે વિશદ ચર્ચા કરી છે અને શાસ્ત્રસંમત આધારો ટાંકીને આજની ખિલતાભરી દીક્ષા પ્રવૃત્તિની જે આકરી ટીકા કરી છે તે તેમની સત્યનિષ્ઠાની પ્રતીતિરૂપ છે.
આજના આ શુભ પ્રસંગે અમે આ સત્યનિષ્ઠ, નમ્ર, નિરહંકારી, સૌમ્ય, જ્ઞાનતપસ્વી મુનિરાજને સવિનય વંદન કરીએ છીએ અને તેઓશ્રી સંપૂર્ણ સ્વાસ્થ સહિત શતાયુ થઈ તેઓશ્રીની જ્ઞાનસાધના સતત અવિરતપણે ચાલુ રહે તે માટે પ્રાર્થના કરીએ છીએ.
159
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org