SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન કરવું (ઈચ્છાનિવેદન સ્થાન), પછી તેમની સમીપે જવાની આજ્ઞા માગવી (અનુજ્ઞાપન સ્થાન), પછી તેમને અવ્યાબાધા સંબંધી પૃચ્છા કરવી (અવ્યાબાધ પૃચ્છા સ્થાન), પછી તેમને સંયમ- યાત્રા સંબંધી પૃચ્છા કરવી (સંયમ યાત્રા પૂરઠ્ઠા સ્થાન). પછી તેમને પાપના-ઈન્દ્રિય અને મનની ઉપઘાત રહિત અવસ્થાની પૃચ્છા કરવી (યાપના પૃચ્છા સ્થાન). અને છેવટે દિવસ કે રાત્રિ દરમિયાન થયેલી આશાતના સંબંધી ક્ષમા માંગવી. (અપરાધ ક્ષમાપન સ્થાન). અહીં બે અવનતમુદ્રા અને એક યથાકાત મુદ્રા, દ્વાદશઆવર્ત; ચાર શિરોનમન; ત્રણ ગુણિ; બે અવગ્રહપ્રવેશ અને એક નિષ્ક્રમણ ૧૭ આદિ ર૫ આવશ્યક સાચવીને વિનયપૂર્વક વિધિસર વંદન કરવાથી “આસેવન શિક્ષા પ્રાપ્ત થાય છે, અને પરિણામે ગ્રહણ શિક્ષામાં ઘણો લાભ થાય છે. આ રીતે શ્રતધર્મની પ્રાપ્તિ થતા સાધકની ક્રિયાઓ ઉત્તરોત્તર વિશુદ્ધ બનતી જાય છે. સાધક તેત્રીશ આશાતનાઓથી વિરમે છે. આ દ્વાદશાવર્ત વંદન બે વાર કરવાનું છે. તેનો હેતુ વિનય ગુણની પુષ્ટિ અથવા સુગુરુનું અધિક સન્માન કરવાની વૃત્તિ છે. વંદન ક્યારે ન કરાય ? : - ગુરુવંદન ભાષ્યમાં પાંચ સ્થાનકે વંદન ન કરાય તે દર્શાવેલ છે. ૧૮ જયારે ગુરુ મહારાજ વિક્ષિપ્ત ચિત્ત હોય, પરાડમુખ હોય, પ્રમાદમાં હોય, તેમજ આહાર અને નીહાર કરતા હોય કે કરવા ઈચ્છતા હોય ત્યારે તેમને કદાપિ વંદન કરવું નહિ. આમ વિવેકપૂર્વક વંદન કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. વંદન ક્યારે કરાય ? ગુરુવંદન ભાષ્યમાં ચાર સ્થાનકે વંદન કરવાનું વિધિવાક્ય છે. જયારે ગુરુ મહારાજ વિક્ષેપરહિત - પ્રશાંત હોય, સન્મુખ આસન ઉપર બેઠા હોય, ઉપશાંત હોય અને ઉત્તર આપવા ઉજમાળ હોય તેવી અનુકૂળ સ્થિતિમાં ભક્તિ-બહુમાન કરવું જોઈએ.૧૯ ૧. પ્રતિક્રમણ આવશ્યક કરતા, ૨. વાચનાગ્રણાદિ સ્વાધ્યાય કરતા, ૩. કાયોત્સર્ગ કરતા, ૪. અપરાધ ખમાવતા, ૫. પ્રમુખ આચાર્યાદિ પધાર્યા હોય ત્યારે, ૬. આલોચના લેતા, ૭. સામાન્ય કે વિશેષ તપ-પચ્ચકખાણ લેતા અને ૮. અંત સમયે અનશન આદરતી વખતે ગુરુ મહારાજને અવશ્ય વંદન કરવું જોઈએ. Jain Education International (પપE---- For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy