SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરધારી નથી અને કોઈ તીર્થંકર નામકર્મ ભોગવતા નથી તેઓ સિદ્ધ થઈ ગયા છે. તેમના દ્રવ્ય નિક્ષેપોની ધારણા તેમના ‘આર્હત્ત્વ’ના વિકલ્પને સેવીએ તો જ શક્ય બને. શક્રસ્તવના અંતની ગાહા જે આ અઈઆ સિદ્ધા’ તથા ‘જે એ ભવિસંતિ ણાગએ કાલે' વડે દ્રવ્ય જિનને વંદન કરવામાં આવે છે. ભાવનિક્ષેપો સમવસરણમાં રહેલા અને વાણી વડે દેશના દેતા ભાવિજનને ગણી શકાય. આમ ચોવીસ જિનના નામ, સ્થાપના તથા દ્રવ્ય નિક્ષેપો ભાવ અર્હત્ સાથે અભેદબુદ્ધિ કરવામાં કારણ છે તથા આનંદઘન આત્મસ્વરૂપને પામવાનું અનન્ય સાધન છે.૨૦ સ્તવનું ફળ : ચતુર્વિશતિ સ્તવના ફળ વિષે ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં શ્રમણભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. “હે ભગવન ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગળથી જીવ કયો લાભ પ્રાપ્ત કરે છે ?’ ભગવાને ઉત્તરવાળ્યો, “હે શિષ્ય, સ્તવ અને સ્તુતિ રૂપ ભાવમંગળથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિના લાભને પ્રાપ્ત કરે છે. તેનો લાભાન્વિત જીવ કલ્પવિમાનમાં ઉત્પન્ન થવા પૂર્વક યાવત્ મોક્ષમાં જાય છે. (અહીં બોધિનો અર્થ સમ્યગ્ સમજવો.) સામાયિક સાધનાનો ઉપદેશ આપનાર ચોવીશ જિનેશ્વરોની સ્તુતિ કરવાથી શું લાભ થાય ? અને એ સ્તુતિ-સ્તવના કરવી યોગ્ય છે ખરી ? એવો સ્વાભાવિક પ્રશ્ન સૌને થાય. ચોવીશે તીર્થંકર અને ભૂતકાળમાં થયેલ અનંતી ચોવીસીના બધા જ તીર્થંકરો રાગ, દ્વેષનો સંપૂર્ણ ક્ષય કરી, સિદ્ધ થઈ ગયા છે. સિદ્ધ થયેલ કોઈપણ આત્મા કોઈની ઉપર ખુશ પણ થતા નથી અને કોઈની ઉપર નારાજ પણ થતા નથી. તો તેમની સ્તવના શા માટે કરવી ? ચતુર્વિંશતિ સ્તવમાં પ્રથમની ચાર ગાથામાં આ ચોવીસીના પ્રત્યેક તીર્થંકરના નામના ઉલ્લેખ કરી ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આવ્યા છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે સાક્ષાત્ જિનેશ્વર પ્રભુની હાજરીમાં જેટલા આત્માઓ મોક્ષે ગયા તેના કરતાં અસંખ્યાતગણા આત્માઓ નામ નિક્ષેપાનું આલંબન લઈને મોક્ષે ગયા છે. અર્થાત્ પ્રભુનું નામ પણ એટલુંજ પવિત્ર છે. અલબત્ત Jain Education International ૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy