________________
ધ્યાન પ્રણાલિ જ્યાં કલેશકર ચિત્તવૃત્તિનો નિરોધ હોય તેને જ ધ્યાન ગણે છે. આ ધ્યાન – ધર્મધ્યાન કે પ્રશસ્તમનોવ્યાપાર રુપ હોય છે. આત્માનો પ્રમાદ દોષ દૂર ન થાય ત્યાં સુધી મન, વચન અને કાયાની પ્રમત્ત અવસ્થાને રોકવા માટે જે પ્રવૃત્તિ આચરવામાં આવે તે વાસ્તવિક ધ્યાન છે. આના અનુસંધાનમાં ઉપા. યશોવિજયજીએ તેમના સવાસો ગાથાના સ્તવનમાં આ વિષે માર્મિક ટકોર કરી છે. “ચિત્તનિરોધરૂપ કે નિર્વિકલ્પ સમાધિરૂપ ધ્યાન એ નિશ્ચયધર્મ છે અને તે જ એક માત્ર કર્મક્ષય અને મુક્તિનું સાધન છે એવો એકાંતવાદ ધારણ કરનારે એ ખ્યાલમાં રાખવું ઘટે કે નિશ્ચયધર્મ તો શૈલેશી અવસ્થાને અંતે આવે છે. જે પુણ્ય અને પાપ બન્નેનો ક્ષય કરી મોક્ષ સુખ આપે છે. પોતપોતાના ગુણસ્થાનકને ઉચિત જે જે સાધનરુપ ધર્મો છે તે પણ નિશ્ચયધર્મનું કારણ અર્થાત્ વ્યવહાર ધર્મ છે.”૨૨
શ્રી હરિભદ્રસૂરિએ “યોગવિશિકા'માં મોક્ષની સાથે જોડનાર સર્વ પ્રકારના ધર્મવ્યાપારને યોગરુપ ગણ્યો છે. આવશ્યક ક્રિયાને આ સર્વાશે લાગુ પડે છે. ૩
અષ્ટાંગયોગને માન્યતા આપવા છતાં જૈનસિદ્ધાન્તમાં કોઈ પણ આસન, કોઈ પણ સ્થાન, કોઇ પણ મુદ્રા, કોઈ પણ કલાકે કોઇ પણ ક્ષેત્રમાં મુનિઓ કેવળ જ્ઞાન કે મોક્ષ પામી શકે તેમાં નિયમ ફક્ત એક જ છે. પરિણામની વિશુદ્ધિ અને મન, વચન, કાયાની અર્થાત યોગની સુસ્થતા. ઉચ્ચયોગ કે ધ્યાનપ્રણાલિ જ મોક્ષનો હેતુ છે.
પૂર્વે કહ્યું તેમ શ્રી જિનમતમાં આવશ્યકને છોડીને બીજું કોઈ ધ્યાન નથી. એ વાત સો ટકા સત્ય છે. પરંતુ એ માત્ર સવાર-સાંજનું પ્રતિક્રમણ નહિ. સવાર-સાંજનું પ્રતિક્રમણ તો દિવસ દરમિયાન અનુપયોગ અર્થાત્ પ્રમાદના કારણે લાગેલ દોષોને યાદ કરી, તેની શુદ્ધિ કરવાની પ્રક્રિયા છે. પંચસૂત્રમાં જણાવ્યા પ્રમાણે સાધક-મુનિ તો સમગ્ર દિવસ દરમિયાન હંમેશા ફાયરિંગથી, ધ્યાન (કાયોત્સર્ગ) અને સ્વાધ્યાયમાં જ રત હોય. એ સમતાની સાધના જ કરતા હોય છે.
ધ્યાન એટલે મન, વચન, કાયાની એકાગ્રતા. આ એકાગ્રતા સારી પ્રવૃત્તિમાં હોય તો તે શુભ ધ્યાન કહેવાય છે. અને જો ખરાબ પ્રવૃત્તિમાં, ચોરી, હિંસા, પરિગ્રહ આદિમાં મન, વચન, કાયાની એકાગ્રતા આવે તો તેને અશુભ ધ્યાન કહેવાય છે. આવી અશુભ પ્રવૃત્તિમાં પણ એકાગ્રતા
૨
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org