SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ થયા બાદ વૈશાખ સુદ ૧૧ના થઇ. તેઓ અંતિમ તીર્થંકર હતા. તેમણે સપ્રતિક્રમણ (આવશ્યક) ધર્મનું પ્રતિપાદન કર્યું હતું. આથી તેમના શાસનમાં દરેક સાધુ-સાધ્વી માટે સવાર-સાંજ પ્રતિક્રમણની આરાધના જરુરી હતી. આ પ્રતિક્રમણ તેઓ શા આધારે કરે ? તે માટે આવશ્યક સૂત્રોની જરુર હતી. એટલે ગણધરો તેની પ્રથમ રચના કરે અને પછી બીજા અંગસૂત્રોની રચના કરે એ સ્વાભાવિક ક્રમ ગણાય. વળી શ્રુતના વર્ણન પ્રસંગે શાસ્ત્રકારો સામાયિકાદિ ચૌદ પૂર્વે કે સામાયિકાદિ અગ્યાર અંગો એવો શબ્દપ્રયોગ કરે છે તેથી એ સ્પષ્ટ થાય છે કે પ્રથમ આવશ્યક સૂત્રની અને તે પછી દ્વાદશાંગીની રચના થઇ હોવી જોઇએ. “ભગવાન મહાવીરનો ઉપદેશ વિક્રમ સંવત પૂર્વે ૫૦૦ વર્ષથી શરુ થયો તેથી આવશ્યકસૂત્રો પણ તેટલાં જ પ્રાચીન ગણી શકાય. આ વાત પણ એ સિદ્ધ કરે છે કે આવશ્યક સૂત્રો ગણધરચિત છે. અન્ય સ્થવિર રચિત નથી’૧૯ આવશ્યકોની આધ્યાત્મિકતા : વ્યાયામ કે સંગીતમાં નિપુણતા મેળવવા રોજ કસરત કે રિયાઝ જરૂરી છે, તે વિના વ્યાયામ કે સંગીતની જાણકા૨ી સાર્થક થતી નથી. તેમ ફક્ત જ્ઞાનમાં સાર્થકતા નથી. તે જ્ઞાન ક્રિયામાં પરિણમવું જોઈએ. આમ ક્રિયા કરતી વખતે જ્ઞાન તેમાં ગર્ભિત રીતે સમાય છે. આવશ્યકો ક્રિયામય છે; તેના વડે અધ્યાત્મની સિદ્ધિ કઈ રીતે થઈ શકે તે પ્રશ્ન કે શંકા અસ્થાને છે. કારણ આવશ્યક ક્રિયા અધ્યાત્મ સ્વરૂપ જ છે. “અધ્યાત્મ”નો વ્યુત્પત્તિગત અર્થ અને રૂઢિનું અર્થઘટન ઉપા. શ્રીમદ્ યશોવિજયજી એ નીચે પ્રમાણે કર્યું છે. “આત્માને ઉદ્દેશીને જે પંચાચારનું પાલન થાય તે અધ્યાત્મ છે અને બીજી વ્યાખ્યા પ્રમાણે બાહ્ય વ્યવહારથી (વાસિત) મૈત્ર્યાદિ યુક્ત ચિત્ત એ અધ્યાત્મ છે.” આમ જ્ઞાન અને ક્રિયા ઉભયના સુમેળને તેમણે અધ્યાત્મ તરીકે ઘટાવેલ છે. ૨૦ કેટલીક વાર ક્રિયાકાંડની નિંદા કરી જ્ઞાનની પ્રતિષ્ઠા કરવામાં આવે છે પરંતુ અહીં ક્રિયાકાંડનો ખરો ચરિતાર્થ વૈદિક યજ્ઞાદિ હિંસક ક્રિયાને લાગુ પડે છે, નહીં કે નિરપાય અને કલ્યાણકર ક્રિયા સાથે. સત્ય, દયા, પરોપકાર, ક્ષમા, સરળતા, નિઃસ્વાર્થપણું, તપ, સ્વૈચ્છિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy