SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નૈૠયિક દ્રષ્ટિએ તો આત્માનું આત્મામાં રમણ એ જ શ્રેષ્ઠ ચારિત્રાચાર છે. આ ચરમશિખરે પહોંચવા વ્યવહારનયનો માર્ગ લેવો જરૂરી છે. (૪) તપાચાર : તપ એ કર્મનિર્જરાનું અપૂર્વ સાધન છે. તપ દ્વારા અનાદિકાળના આત્મા પર લાગેલાં કર્મો ખપી જાય છે. તેથી જૈન દર્શનમાં તપાચારનું ઘણું મહત્ત્વ છે. તપ સાથેનો આચાર એટલે તપના હેતુની સ્પષ્ટતા અને તપ પ્રત્યેનો અંતરંગ ભાવ. આ વિના તપનું પૂરેપુરૂં ફળ મળતું નથી. અને તે કાયાને કષ્ટ આપવા સુધી જ સીમિત થઈ જાય છે. તેથી તપાચારના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ પડે છે. બાહ્ય તપના છ અને આત્યંતર તપના છ એમ કુલ બાર પ્રકારો કહેલા છે. ૭ અનશન : બિયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરેમાં આહારનો અભાવ. ઊણોદરી : ભૂખ કરતાં પાંચ-સાત કોળિયા ઓછા ખાવા, અલ્પાહાર. વૃત્તિસંક્ષેપ : ઓછી વાનગીઓ લેવી; સંતોષ રાખવો. રસત્યાગ : ઘી, દૂધ, તેલ, ગોળ વગેરે છ વિગઈનો ત્યાગ, ભોજનનો રસ ઘટાડવો. કાયકલેશ : શારીરિક તકલીફો કે રોગોને સમતાપૂર્વક સહન કરવા, કાયાને કસવી અને કષ્ટ પ્રત્યે સહિષ્ણુ બનાવવી. સંલીનતા અંગોપાંગોના આકુંચન-પ્રસારણ સંયમપૂર્વક કરવું, ખ્યાતિ માટે ફાંફા ન મારવા અને આંતિરક દશામાં ઊંડા ઉતરવું. ઉપરોક્ત બાહ્ય તપ અત્યંત૨ તપના પ્રવેશદ્વાર સમાન છે. શરીરને સાધી વધુ આંતિરક શુદ્ધિ માટે અત્યંતર તપની જરૂરિયાત રહે છે અને ત્યાં જ તપની ભવ્યતા પ્રગટ થાય છે. : પ્રાયશ્ચિત ઃ શિષ્ટાચાર માટે આ પ્રાયશ્ચિત નથી; તે ચિત્તશુદ્ધિની પ્રક્રિયા અને આંતરિક દોષ નિવારણ સાથે સંકળાયેલ છે. Jain Education International વિનય : આ ‘અહં'ના વિસર્જન માટે છે. તેના સાત પ્રકાર છે : ૧. મન ૨. વચન ૩. કાયા ૪. જ્ઞાન ૫. દર્શન ૬. ચારિત્ર ૭. લોકોપચાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy