________________
શ્રી માયા રાપર
- ભાવાર્થભંગાર કર્મ, વનકર્મ, શકટ (ગાડા વગેરે) કર્મ, ભાડા વિગેરેનું કર્મ તથા ધરતી ડાવવાનું કર્મ એ પાંચ કર્મ, દાંતને વેપાર, લાખને, રસને, કેશને અને વિષને વેપાર એ પાંચ કુવાણિજ્ય ૨૭
यंत्रपीडा निलांछनमसतीपोषणं तथा । दवदानं सरशाष इति पंचदश त्यजेत् ॥२८॥
ભાવાર્થ-તથા યંત્રપલણ નિલાંછન કર્મ, (પશુ ને ખાંસી કરવાનું) અસતીપષણ, (૬ષ્ટપાલન) દવદાન (બાળી મુકવું) તથા તલાવ વગેરે સુકાવવા એ પંદરે કર્માદાનને શ્રાવક સર્વથા ત્યાગ કરે ૨૮.
लोहं मधूकपुष्पाणि मदन माक्षिकं तथा। वाणिज्याय न गृह्णीयात् कंदान् पत्राणि वा सुधीः ॥२६॥
ભાવાર્થ–સુજ્ઞજને લોખંડ, મહુડાના ફૂલ, મદિરા, મધ, કંદમૂળ અને પત્ર શાખાદિને વેપાર કરે નહિ ૨૯
स्थापयेत्फाल्गुनादूर्ध्व न तिलानतसीमपि । गुडटुप्परकादीनि जंतुघ्नानि धनागमे ॥ ३० ॥
ભાવાર્થ-ફાગણ (ચોમાસી) ઉપરાંત તલ કે અલસી રાખે નહિં અને વર્ષાઋતુ આવતાં (અષાઢ આવ્યે છતે ) ગોળ, -ટેપર વિગેરે ન રાખવાં. કારણ કે તેમાં ઘણું જીવે નાશ પામે છે. માટે જે વસ્તુનો સંગ્રહ કરવાથી ત્રસાદિ જીવને સંહાર થાય તે વસ્તુને સંચય લેભવશ બની સુબુદ્ધિવંત કરે નહીં.
शकटं वा बलीवान् नैव प्रावृषि वाहयेत् । प्राणिहिंसाकरं प्रायः कृषिकर्म न कारयेत् ॥ ३१॥
ભાવાર્થ-વર્ષાકાળમાં ગાડું કે બળદ હંકાવે નહિ, તેમજ ત્રસાદિ ની હિંસાકારક ખેડ (કૃષિકર્મ) પણ પ્રાયે કરાવે નહીં. કારણકે તેમાં ઘણા જીવોની હિંસા થાય છે. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org