SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યોદય (પ્રભાત સારી રીતે થયા) પછીની આવકની કરણ-આચાર હવે ગ્રંથકાર શ્રી બતાવે છે. ततो गत्वा मुनिस्थानमथवात्मनिकेतनम् । निजपापविशुद्धयर्थ कुर्यादावश्यक सुधीः ॥ २२ ॥ ભાવાર્થ-ત્યારબાદ સૂર્યોદય થતાં મુનિરાજ રહેતા હોય તે સ્થાન (ઉપાશ્રય) માં અથવા ગૃહસ્થ પોતાને ઘેર પષધશાળા કરી હોય ત્યાં જઈને સુજ્ઞ પુરૂષે પોતાના પાપોની વિશુદ્ધિ કરવા માટે આવશ્યક કરણી કરવી. . રર रात्रिकं स्यादेवसिकं पाधिकं चातुर्मासिकम् । सांवत्सरं चेति जिनेः पंचधावश्यकं कृतम् ॥२३॥ ભાવાર્થ–– ૧) રાત્રિ સંબંધી, (૨) દિવસ સંબંધી ( ૩) પાક્ષિક, (૪) ચમાસી અને ( ૫ ) સાંવત્સરિક સંબંધી લાગેલા પાપાને દૂર કરવા માટે શ્રી જિનેશ્વર ભગવંતે પાંચ પ્રકારના પ્રતિક્રમણ કહેલા છે. જે ૨૩ છે વિશેષાર્થ –અહિં એ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રતિક્રમણ ઉપર કહેલા પાંચ પ્રકારના છે, વધારે નથી, અને તેમાં સામાયિક વગેરે છે આવશ્યકોને સમાવેશ થાય છે. પશ્ચાત્તાપપૂર્વક ફરી પાપ નહીં કરવાની બુદ્ધિથી, સરલ હદયથી, ગુરૂમહારાજ સન્મુખ કરેલ આ આવશ્યક ક્રિયા નિશ્ચયે મનુષ્યને ઉપકારક થાય છે. कृतावश्यककर्मा च स्मृतपूर्वकुलक्रमः। . प्रमोदमेदुरखांतः कीर्तयेन्मंगलस्तुतिम् ॥ २४ ॥ - ભાવાર્થ–ઉપર જણાવેલ આવશ્યક ક્રિયા શ્રાવકે કરી પૂર્વ કુળમર્યાદાને યાદ કરીને અત્યંત પ્રમાદિત ચિત્તથી મંગળસ્તુતિ નીચે પ્રમાણે કરવી. . ૨૪ છે હવે મંગળ સ્તુતિ અષ્ટક કહે છે. मंगलं भगवान् जीरो मंगल गौतमः प्रमः। मंगलं स्थूलभद्राया, जैनो धर्मोऽस्तु मंगलम् ॥ २५ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004546
Book TitleAcharopadesh
Original Sutra AuthorCharitrasundar Gani
AuthorVallabhdas T Gandhi
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages82
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Conduct
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy