SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને વીતતા ક્યાં વાર લાગે છે ! બાર-બાર મહિના પસાર થઈ ગયા ! લગાતાર એક વર્ષ સુધી બાહુબલીજીએનિર્જળા ઉપવાસ કર્યા છે ! સતત કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે ! અનેક પ્રકારના પરિષહો – ઉપસર્ગોનેસમભાવે સહન કર્યા છે ! પણ હજી સુધી કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી! પરમ કરૂણાલુ ભગવાનઋષભદેવબાહુબલિજીના માનસિકવિચારોથી જ્ઞાત છે તુરંતજ બ્રાહ્મી સુંદરીસાધ્વીજીઓનેપ્રભુએબાહુબલિજીનેપ્રતિબોધ કરવા મોકલ્યા પ્રભુની આજ્ઞાથી બંને બહેનો પોતાના ભાઈના પ્રતિબોધ માટે ત્યાં આવે છે ચોતરફ વૃક્ષોની વેલડીથી વીંટળાયેલા બાહુબલીજીની ઓળખ પણ ક્ષણવાર તો થઈ શકી નહીં ! નજરે નિહાળ્યા ત્યારે બાહુબલીજીને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કરીને ભાવવાહી સ્વરે વિનંતી કરે છે. ‘વીરા...! મોરા ગજ થકી ઉતરો ...! ગજ ચડે કેવલ ન હોય’' બાહુબલીજી ચોંક્યા...!હું ક્યાં હસ્તિઉપર આરૂઢથયેલોછું! ‘‘ઓહ ! બિલકુલ સત્ય વાત છે ! માન રૂપી હસ્તિ ઉપર આરૂઢ થયેલા એવા મને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કેમથાય ! હવે હમણાં જ જઉં ! લઘુબાંધવોને વંદન કરું ! પ્રભુ પાસે પહોંચુ ! બાહુબલીજીએત્યાં જવા માટે કદમઉપાડ્યા ત્યાં જ ક્ષપકશ્રેણિમાંડી ઘાતીકર્મનો ક્ષય કરી કૈવલ્યજ્ઞાનનીપ્રાપ્તિકરી...! આદ્ય તીર્થપતિ પ્રભુ ઋષભદેવ ૧ લાખ પૂર્વ સુધી શ્રમણપર્યાયમાંવિચર્યા ...! અનેક આત્માઓને પ્રતિબોધપમાડીસંસારરૂપી સમુદ્રથી ઉદ્વરિત કર્યા! અંતે ૮૪ લાખ પૂર્વનું સંપૂર્ણ આયુષ્ય પાળી અષ્ટાપદ પર્વત ઉપર મહા કૃષ્ણ Jain Education International ૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy