SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ નગરીના રાજવી બન્યા. અનાસક્ત ભાવે રાજ્યનું પાલન કરતા અંતે પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષાઅંગીકા૨કરીભીષ્મઆરાધનાશરૂ કરી. માસક્ષમણનાપા૨ણે માસક્ષમણ કરતા તે મહામુનીએસળંગ ૧ લાખ વર્ષ સુધી આવા ઘોર તપની સાધના કરી જીવનમાં ૧ લાખ વર્ષના દીક્ષા પર્યાયમાં ૧૧ લાખ ૮૦ હજા૨ ૬૪૫ માસ ક્ષમણ કર્યા. . માસક્ષમણ તપની આરાધનાથીવીશસ્થાનકની સાધનાદ્વારા... ‘“જો હોવે મુજશક્તિઐસીસવિ જીવ કરું શાસન રસી’ એવી ઉત્કટ ભાવનાથી તીર્થંકર નામકર્મની નિકાચના કરી સમાધિમરણ પામી છવીસમાં ભવે પ્રાણતનામનાદસમાંદેવલોકમાં મહáિકદેવ થયા. ભવ... ૨૭ શાસનનાયક શ્રમણ ભગવાનમહાવી૨૫૨માત્માનો અંતિમભવ! જંબુદ્વીપના ભરતક્ષેત્રના ક્ષત્રિયકુંડ નગરની બાજુમાં આવેલા બ્રાહ્મણકુંડ ગામમાં ઋષભદત્ત નામના વિદ્વાન બ્રાહ્મણની ધર્મપત્ની દેવાનંદા નામે ઉત્તમબ્રાહ્મણીની કુક્ષિએ પ્રભુનું અવતરણ થયું ! મરિચિના ભવમાં કુળમદના કારણે જે નીચ ગોત્રકર્મ બાંધેલ હતું તેથી જ તીર્થંકર ભગવંતો ક્યારેય ભિક્ષાચાર કુળમાં અવતરે નહીં પણ પ્રભુને ૮૨ દિવસ સુધી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં રહેવું પડ્યું ! સૌધર્મેન્દ્ર મહારાજાની આજ્ઞાનુસાર હિરણગમૈષી દેવ દ્વારા દેવાનંદાની કુક્ષિમાં રહેલા પ્રભુના ગર્ભનું સંક્રમણ ક્ષત્રિયકુંડ નગરના પ્રતાપી નરેશ સિદ્ધાર્થ મહારાજાની સૌભાગ્યશાલિની પટ્ટરાણીત્રિશલાદેવીની કુક્ષિમાં થયું. . પ્રભુનું દેવાનંદાની કુક્ષિમાં ચ્યવન અષાડ સુદ છઠ્ઠના દિવસે થયું અને ત્રિશલાની કુક્ષિમાં અવતરણ આસો વદ (ભાદરવા વદ) તેરસના દિવસે થયું. પ્રભુ જ્યારે દેવાનંદાની કુક્ષિમાં આવેલા ત્યારે દેવાનંદા માતાએ Jain Education International ૨૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy