SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ લઈને આત્મકલ્યાણસાધી લીધું. વિદ્યાધરકુમારીપદ્માવતી સાથે કિરણવેગનાલગ્ન થયા ક્રમશઃ કિરણતેજ નામે પુત્ર પણ થયો વિરાગની મસ્તીમાં મહાલતા આત્માને સંસારના બંધનોમાં રહેવું ક્યાં સુધી ફાવે ! અંતે સુરગુરુ નામના મહાત્મા નગરીમાં પધાર્યા તેમની પાસે દિક્ષા અંગીકા૨કરીસુંદરસાધના કરી અનેક લબ્ધિઓકિરણવેગમુનિએ મેળવી. આકાશગામિનિ લબ્ધિવાળા કિરણવેગ મહર્ષિ પુષ્કરદ્વીપમાં શાશ્વતી જિનપ્રતિમાઓનેનમસ્કાર કરી વૈતાઢ્ય ગિરિ પાસે કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયેલા છે તે જ સમયે પેલો કમઠનો આત્મા - નારકીના ૧૭ સાગરોપમના દીર્ઘકાળ પર્યંત ભયંકરદુઃખોસહનકરી ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી પુનઃસર્પ તરીકે ઉત્પન્નથયેલો! મહાત્માનેજોતા જ પૂર્વ વૈર યાદ કરી મહાત્માના શરીરમાંજોરથી ડંસવા લાગ્યો ! પોતાનુંસમગ્ર વિષ મહાત્માનાશરીરમાંજ જાણે ઠાલવવું હોયતે રીતીએવારંવાર ડંસવા લાગ્યો ! તીવ્ર વેદનાને સહન કરતા સમાધિસ્થ મુનિ કાળ કરીને બારમાં દેવલોકમાંપહોંચ્યા તે પેલો બિચારોસર્પ ત્યાંથી નીકલી વનમાં દાવાનળલાગવાથી તુરંત જ મૃત્યુ પામી નરકનો મહેમાન બની ગયો ! પાંચમાં ભવમાં પાર્શ્વનાથ ભગવાનનો આત્મા બારમાં દેવલોકમાં જંબુદ્ઘમાવર્ત વિમાનમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા તો કમઠનો જીવ છઠ્ઠી તમઃ પ્રભા નરકમાં બાવીસસાગરોપમનાઆયુષ્યવાળાનારકીતરીકે થયો ! એક આત્મા પ્રગતિના સોપાનો સર કરે છે ત્યારે બીજો આત્મા અધોગતિ ગર્તામાં ધકેલાયા કરે છે છઠ્ઠા ભવમાં પશ્ચિમદિશાનાવિદેહ ક્ષેત્રમાં જ્યાં બાહુ અને સુબાહુ વિહરમાન તીર્થંકર ભગવંતો બિરાજમાન છે તે શુભંકરા નામે નગરીમાં Jain Education International ૨૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy