SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૭૬ — તાત્પર્ય એ છે કે સંસારમાં પરિગ્રહ સંજ્ઞા અને મૈથુનસંજ્ઞા - આ બે સંજ્ઞાઓ ખૂબ ભયાનક છે. જે જીવાત્મા આ બે સંજ્ઞાઓને વશ થાય છે તે ઘોર ત્રાસ અને વેદના અનુભવે છે. મૃત્યુ પછી જીવને નરક-તિર્યંચગતિમાં જવું પડે છે. સભામાંથી ; સંસારમાં સ્ત્રી અને ધન એ બે તત્ત્વો જ મુખ્ય છે. ૪૯ આ વિષવૃક્ષનો પુષ્પ૨સ જે પીએ છે, તેના મનમાં મોટામોટા વિકારો પેદા થાય છે. એ પુષ્પરસ છે નારીના વિલાસ, સ્ત્રીના ભિન્ન ભિન્ન હાવભાવ. આ વિષવૃક્ષનાં ફળોનો આસ્વાદ જે કરે છે તે તો નરકની ઘોર વ્યાધિઓનો શિકાર બની જાય છે. એ ફળ છે નારી-સંભોગ. આવા વિષવૃક્ષ સમાન સંસાર પ્રત્યે થોડોક પણ વિશ્વાસ ન કરવો જોઈએ. મહારાજશ્રી : એટલા માટે તો સંસારને વિષવૃક્ષની ઉપમા આપીને એ બે તત્ત્વો પ્રત્યે વૈરાગી બનાવવાના છે તમને ! વિરક્ત બનવું જ પડશે, નહીંતર ખૂબ દુઃખી થઈ જશો. સંસાર વિષમતાઓનું ઘર છે ઃ સંસારને નવમી ઉપમા આપી છે વિષમતાભર્યા ઘરની. 4 क्वचित्प्राज्यं राज्यं क्वचन धनलेशोऽप्यसुलभः क्वचिज्जातिस्फातिः क्वचिदपि च नीचत्वकुयशः । क्वचिल्लावण्य श्रीरतिशयवती कवापि न वपुः स्वरूपवैशम्यं रतिकरमिदं . कस्य नु ભદ્રે ! સંસાર વિષમતાભર્યું ઘર છે; કેવી કેવી વિષમતાઓ છે સંસારમાં ! કોઈની પાસે વિશાળ રાજ્ય સમૃદ્ધિ છે, તો કોઈની પાસે એક પૈસો પણ નથી. - --- કોઈ માણસ ઉચ્ચ કુળમાં જન્મ્યો છે, તો કોઈ નીચ કુળથી કલંકિત છે; કોઈ યશસ્વી છે, તો કોઈ અપયશનું પાત્ર છે. ક્યાંક રૂપનો અતિરેક દેખાય છે, તો ક્યાંક અત્યંત કુરૂપ અને જુગુપ્સિત શરીર જોવા મળે છે. આવી વિષમતાઓથી આ સંસાર ભર્યોભર્યો છે. આવી વિષમતાઓ જોઈને શું હૃદયમાં સંસાર પ્રત્યે પ્રેમ થશે ? ખુશી થશે ? વાત તમારી પસંદગીની છે. - ધનસંપત્તિની વિષમતા, - કુળોની વિષમતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004544
Book TitleShravaka Jivan Part 4
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy