SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રાવક જીવન : ભાગ ૪ નિર્મળ થતું જશે. ‘હું જ્ઞાન દર્શનમય વિશુદ્ધ આત્મા છું.’ એ પ્રકારની પ્રતીતિ થશે, ત્યારે તમારું સમ્યગ્ દર્શન ઉચ્ચતમ કોટિનું થઈ જશે. બીજો પ્રતિભાવ છે આચાર્ય, ઉપાધ્યાય, સાધુપુરુષોની પર્યપાસ્તિ અને યથાશક્તિ એમની સેવા-ભક્તિ. કરો છોને તેમની સેવા-ભક્તિ ? સભામાંથી : કોઈ કોઈ વાર...કરીએ છીએ. મહારાજશ્રી ઃ કેમ કે તેમની પાસે પ્રતિદિન નવ તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવા નહીં જતા હો. જ્ઞાની એવા સદ્ગુરુઓ પાસેથી જ્ઞાનપ્રાપ્તિ કરવી જોઈએ. જ્ઞાનપ્રાપ્તિ કરતાં કરતાં એમના પ્રત્યે હૃદયમાં પ્રીતિભાવ જાગૃત થશે. પ્રીતિ ઉત્પન્ન થતાં ભક્તિ સ્વતઃ થવા લાગશે. પર્યુપાસ્તિ કર્યા વગર નહીં રહો. ‘પર્યુપાસ્તિ’નો અર્થ જાણો છો ? પર્યુપાસ્તિ એટલે સર્વાંગીણ સેવા. માત્ર આહારપાણીની જ સેવા નહીં. મુનિવરોની સંયમ આરાધનામાં જે કંઈ આવશ્યક સામગ્રી જોઈએ એ તમામ સામગ્રી પ્રદાન કરવી - આહાર, વસ્ત્ર, પાત્ર, પુસ્તક, ઔષધિ....જ્ઞાનનાં સાધન વગેરે એમને ભાવપૂર્વક આપવાં. સમ્યગ્ દર્શનનો ગુણ પ્રગટ થતાં ‘ગુરુસેવા’નો ગુણ પણ સ્વતઃ પ્રગટ થાય છે. સમ્યગ્ દર્શનની સાથે જોડાયેલો છે આ ગુણ. સદ્ગુરુની સેવા કર્યા વગર બેચેની થઈ જાય છે એને. સભામાંથી ; અમને લોકોને બેચેની થતી નથી. મહારાજશ્રી ઃ તો સમ્યગ્ દર્શન ગુણ આત્મામાં પ્રગટ થયો છે કે નહીં, એ ચિંતાનો વિષય સમજો. જો સમ્યગ્ દર્શન ગુણની મહત્તા સમજ્યા હશો તો આ વાત છે. સદ્ગુરુનો પ્રીતિપૂર્વક પરિચય આમેય ઉપયોગી તેમજ ઉપકારક હોય છે. આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરેલા સંસારમાં સાચું માર્ગદર્શન કરનારા એ પ્રજ્ઞાવંત સદ્ગુરુ જ હોય છે. જે જે મહાનુભાવો સદ્ગુરુના પરિચયમાં રહીને એમની પર્યુપાસ્તિ કરતા રહે છે તેઓ કેટલા નિર્ભય, નિશ્ચિંત અને સન્માર્ગગામી બની જાય છે તે વાત સમજવી હોય તો તેમની પાસે જઈને પૂછો. તેઓ પોતાની કોઈ વાત સદ્ગુરુથી છુપાવતા નથી, પછી વાત પુણ્યની હોય કે પાપની, સુખની હોય કે દુઃખની; ત્યારે જ સદ્ગુરુનું માર્ગદર્શન મળે છે. પ્રેરણા, પ્રોત્સાહન અને વાત્સલ્ય પ્રાપ્ત થાય છે. શ્રવણ કરવામાં સાવધાન રહો : ત્રીજો પ્રતિભાવ પણ મહત્ત્વનો છે. જેઓ વ્યાપન્નદર્શની હોય તેમનાથી બચીને રહેવું. ભલે જન્મથી અને ધર્મથી જૈન હોય, ભલે એણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય, પરંતુ મનમાની રીતે જે શાસ્ત્રોના અર્થો કરતા હોય, પોતાની મનઃકલ્પનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004544
Book TitleShravaka Jivan Part 4
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy