________________
૨૭૪
ઉપર હાર નાખ્યો હતો.'
રાજાએ કહ્યું : ‘મારા પુત્રને રાજા બનાવીએ તો ?’
દેવે કહ્યું : ‘એનું આયુષ્ય અલ્પ છે; અને તે પ્રજાપ્રિય નથી.’ રાજાએ જાતે જ પ્રિયંકરને તિલક કર્યું, આકાશમાંથી પ્રિયંકર ઉપર પુષ્પવૃષ્ટિ થઈ; રાજપુરુષોએ તેનો રાજ્યાભિષેક કર્યો. પ્રિયંકર રાજા બની ગયો.
સાતમા દિવસે રાજાનું મૃત્યુ થઈ ગયું. – મંત્રી હિતંકરનું ય મોત થઈ ગયું.
– રાજાએ મંત્રીપુત્રને મંત્રીપદે નિયુક્ત કર્યો.
શ્રાવકજીવન
★
એ સમયે નગરમાં ‘ધર્મનિધિ’ નામે આચાર્ય પધાર્યા. રાજા પ્રિયંકર આચાર્યદેવને વંદન કરવા ગયો. ધર્મોપદેશ સાંભળ્યા પછી રાજાએ ‘ઉવસગ્ગહર સ્તોત્ર'નો પાઠ કરવાનો આમ્નાય પૂછ્યો.
આચાર્યદેવે કહ્યું : ‘આ સ્તોત્રમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ અનેક મંત્ર અને અનેક યંત્રો છુપાવીને રાખ્યાં છે. આ સ્તોત્રનાં સ્મરણથી આજે પણ પાણી, અગ્નિ, વિષ, સર્પ, દુષ્ટ ગ્રહ, રાજા, રોગ, યુદ્ધ, રાક્ષસ શત્રુ, ચોર અને અન્ય પશુ વગેરેના ભયથી રક્ષા થાય છે. હે રાજન્, તને તો સુખ-સંપત્તિ અને સામ્રાજ્યની પ્રાપ્તિ થઈ છે અને સર્વ આપત્તિઓ દૂર થઈ ગઈ છે એ સર્વ ઉવસગ્ગહરં સ્તોત્રનો જ પ્રભાવ છે.’
‘આ સ્તોત્રની પહેલી ગાથાનાં સ્મરણ-જાપથી ઉપસર્ગ, ઉપદ્રવ દૂર થાય છે. વિષધરનું વિષ દૂર થાય છે. પહેલી અને બીજી ગાથાથી દુષ્ટ ગ્રહ, રોગ, વિષમજ્વર, દુર્જન અને વિવિધ વિષનો ઉપદ્રવ દૂર થાય છે. પહેલી, બીજી અને ત્રીજી ગાથાના જાપથી વિષમ રોગ, દુઃખ, દરિદ્રતા દૂર થાય છે. હીન કુળમાં જન્મ થતો નથી. સુખ, સદ્ગતિ, સૌભાગ્ય, લક્ષ્મી અને કીર્તિની પ્રાપ્તિ થાય છે.
એકથી ચાર ગાથાનો જાપ કરવાથી સર્વ વાંચ્છિતની પ્રાપ્તિ થાય છે. સંપૂર્ણ પાંચ ગાથાનો જાપ કરવાથી ઇહલૌકિક અને પારલૌકિક કાર્ય-સિદ્ધિ થાય છે.
આ સ્તોત્રમાં સ્તંભન, મોહન, વશીકરણ, વિદ્વેષ અને ઉચ્ચાટન વગેરે અનેક ગુપ્ત મંત્ર રહેલા છે.
રાજા પ્રિયંકર ધરણેન્દ્રની સાથે પાતાળલોકમાં :
આચાર્યદેવને વંદન કરીને રાજા પોતાને મહેલે ગયા. પાસે જ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. રાજા દરરોજ રાત્રિના પ્રથમ પ્રહર-પર્યંત મંદિરમાં જઈને ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ તેમજ ધ્યાન કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org