________________
ભાગ ૩
પરંતુ એ મળ્યો નહીં. પરંતુ અશોકપુરથી આવેલા એક સજ્જન પુરુષે કહ્યું કે તે અશોકપુરમાં છે. એટલા માટે અહીં આવ્યાં છીએ. દેવમંદિરમાંથી દર્શન કરીને અમે બહાર આવ્યાં ત્યારે એક ભાઈને પૂછ્યું કે ‘પ્રિયંકર ક્યાં રહે છે ?' તેણે કહ્યું કે ‘પ્રિયંકર આજે સંકટમાં છે.’ આ સાંભળીને અમે અહીં આવ્યાં છીએ.”
રાજાએ પ્રિયંકર બતાવ્યો. એ સ્ત્રી બોલી : ‘આ જ મારો પુત્ર છે !' તેણે પુત્રને આલિંગન આપ્યું.
૨૭૩
બીજી સ્ત્રીએ કહ્યું : ‘આ મારો ભાઈ છે.’ ત્રીજીએ કહ્યું : ‘આ મારો દિયર છે.’ ચોથી સ્ત્રીએ કહ્યું : 'આ મારો પતિ છે.’ વૃદ્ધ સ્ત્રીએ કહ્યું : 'મારા પુત્રને છોડી મૂકો.’
રાજાએ કહ્યું ઃ ‘તેણે મારો લાખ રૂપિયાનો હાર ચોર્યો છે.’ વૃદ્ધાએ કહ્યું : “જે કંઈ દંડ હશે તે હું ભરી દઈશ.’ રાજાએ કહ્યું : ‘એના પિતા ક્યાં છે ?'
મારો પુત્ર
છે.'
પિતાને બોલાવવામાં આવ્યા, પિતાએ પણ કહ્યું : ‘આ કુમાર મંત્રીએ વિચાર્યુંઃ ‘પ્રિયંકરના પિતા પાર્શ્વદત્ત અને માતા પ્રિયશ્રી તો આ નગરમાં રહે છે ! આ બધા મનુષ્ય લાગતા નથી !' મંત્રીએ રાજપુરુષ મોકલીને પાર્શ્વદત્ત અને પ્રિયશ્રીને બોલાવી દીધાં. એ પુરુષ પાર્શ્વદત્ત જેવો જ હતો અને વૃદ્ધા પણ
પ્રિયશ્રી જેવી જ હતી.
રાજાએ કહ્યું : ‘તું પ્રિયંકરનો પિતા નથી પરંતુ દેવ-દાનવ યા વિદ્યાધર છે. આ મહિલાઓ માનવસ્ત્રીઓ નથી, પરંતુ દેવીઓ અથવા વિદ્યાધરીઓ છે.'
આવેલા પિતા દેવરૂપ થઈ ગયા અને ચાર મહિલાઓ અદૃશ્ય થઈ ગઈ. દેવે કહ્યું : 'હું આ રાજ્યનો અધિષ્ઠાયક દેવ છું. રાજન્, તારા મોતનો સમય બતાવવા અને રાજસિંહાસને યોગ્ય વ્યક્તિને સ્થાપિત કરવા આવ્યો છું.’
રાજાએ પૂછ્યું : “મારું મૃત્યુ ક્યારે થશે ?”
દેવે કહ્યું : ‘આજથી સાતમા દિવસે ?'
રાજાએ કહ્યું : ‘રાજા બનવા યોગ્ય વ્યક્તિ બતાવો; હું એને રાજસિંહાસને સ્થાપિત કરીશ.’
દૈવે કહ્યું : “આ પ્રિયંકર જ રાજા બનવા યોગ્ય છે. એ નિરપરાધી છે. તેણે હાર નથી લીધો. મેં હાર લીધો હતો. મારી પાસે રાખ્યો હતો. આજે મેં જ એના માથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org