________________
૨૫
ભાગ ૩
પાર્શ્વદત્તને દેવનાં વચન યાદ આવ્યાં - “સંકટમાં મારા આ સ્થાન પર આવજે.” પાર્શ્વદર, કપૂર, કસ્તુરી આદિ ભોગસામગ્રી લઈને નગરની બહાર પેલા આંબાનાં ઝાડ નીચે ગયો. વૃક્ષ નીચે ભોગસામગ્રી મૂકી અને દેવને પ્રાર્થના કરીઃ “હે દેવ. આપે મારા પુત્રને રાજ્યપ્રાપ્તિ થવાની વાત કરી હતી. એ મારો પુત્ર અત્યારે આપત્તિમાં ફસાઈ ગયો છે. અમારું શરણ આપ જ છો. કૃપા કરીને બતાવો કે પ્રિયંકરનું શું થયું?
દેવે કહ્યું શ્રેષ્ઠી, ચિંતા ન કરવી. આજથી પાંચમા દિવસે પ્રિયંકર લગ્ન કરીને ઘેર પાછો ફરશે.”
પાર્શ્વદત્ત નિશ્ચિત થયો. પ્રિયશ્રીને વાતની જાણ કરી. તે પણ પછી નિશ્ચિત થઈ ગઈ.
આ બાજુ પલ્લીમાં પલ્લીપતિએ પ્રિયંકરને વાત કરી. પ્રિયંકરનું વૃત્તાંત સાંભળીને તેણે કહ્યુંઃ કુમાર, હું તને મુક્ત કરી શકું, પરંતુ મારી એક શરત માનવી પડશે.'
પ્રિયંકરે કહ્યું: “કઈ શરત ?” પલ્લીપતિએ કહ્યું: “સાત દિવસ સુધી મારા સૈનિકો તારાં ઘરમાં ગુપ્તરૂપમાં રહેશે. તેઓ રાજકુમાર અને મંત્રીને બાંધીને અહીં લાવશે. હું તેમની સાથે મારા વેરનો બદલો લઈશ !'
પ્રિયંકરે કહ્યું: ‘એવું કામ હું ન કરી શકું પ્રાણ જાય તો ભલે જાય. પરંતુ એવું દુષ્ટ કાર્ય હું નહીં કરી શકું.'
પલ્લીપતિએ પ્રિયંકરને ફરીથી જેલમાં નાખી દીધો. પ્રિયંકરે એકાગ્રચિત્તે ઉવસગ્ગહર સ્તોત્રનું ૧૨,૦૦૦ વાર સ્મરણ કર્યું.
એ સમયે પલ્લીમાં એક વિદ્યાસિદ્ધ જ્ઞાનીપુરુષ પધાય. પલ્લીપતિને આશીર્વાદ આપીને તેઓ ઉચિત આસન ઉપર બેઠા. પલ્લીપતિએ પૂછ્યું: “આપ શું-શું જાણો છો ?”
વિદ્યાસિદ્ધ પુરુષે કહ્યું : “હું જીવન અને મૃત્યુના વિષયમાં જાણું છું. રોગના વિષયમાં, ધનસંપત્તિના વિષયમાં, શુભાશુભના વિષયમાં...જાણું છું. સુખદુઃખના વિષયમાં પણ જાણું છું.'
આ વાત સાંભળીને પલ્લીપતિએ કહ્યું “જે રાજાએ આપણો દેશ છીનવી લીધો છે, એ આપણા શત્રુ અશોકચંદ્રનું મૃત્યુ કયારે થશે ?' વિદ્યાસિદ્ધ પલ્લીપતિના કાનમાં અશોકચંદ્રના મૃત્યુનો સમય કહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org