________________
ભાગ ૩
૨૫૫
કેવા મંત્રો છે, એ બતાવવા માગું છું. એક વાત નિશ્ચિત છે કે મંત્રશક્તિ દ્વારા વિવિધ કાર્યોની સિદ્ધિ થાય છે. સામાન્યતયા એને ‘તાંત્રિક ષટ્કર્મ' કહે છે. એનાં નામ આ રીતે છે :
૧. શાન્તિકર્મ.
૨. વશ્યકર્મ.
૩. વિદ્વેષકર્મ.
૪. સ્તંભનકર્મ.
૫. ઉચ્ચાટનકર્મ,
૬. મારણકર્મ.
અણુશક્તિ કરતાંય મંત્રશક્તિ મહાન છે. જે રીતે અણુશક્તિનો ઉપયોગ સંહારક શસ્ત્રો બનાવવામાં થાય છે - તેનો દુરુપયોગ થાય છે, તેનાથી સમગ્ર વિશ્વ ભયગ્રસ્ત બન્યું છે. જો અણુશક્તિનો સદુપયોગ થાય તો પ્રજા માટે આશીર્વાદ રૂપ બની જાય છે. એ રીતે મંત્રશક્તિનો ઉપયોગ પણ સ્વ-પર કલ્યાણ માટે કરવો હિતકારી છે. તેનો ઉપયોગ બીજાંને કષ્ટ પહોંચાડવા કદીય કરવો ન જોઈએ.
ન
મંત્રશક્તિની બાબતમાં આટલું જણાવીને હવે વસળવું. સ્તોત્રની એક એક ગાથામાં રહેલા મંત્રોનો માત્ર નામનિર્દેશ જ કરુ છું.
* આચાર્યશ્રી જિનપ્રભસૂરિજીએ ‘અર્થકલ્પલતા' માં આ સ્તોત્રના યંત્ર અને મંત્રનો નિર્દેશ કર્યો છે.
* શ્રી પાર્શ્વદેવગણિવિરચિત ‘લઘુવૃત્તિમાં અને
* આચાર્યશ્રી પૂર્ણચંદ્રસૂરિજી - વિરચિત ‘લઘુવૃત્તિ' માં એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એને આધારે અહીં મંત્રવિષયક કેટલીક વાતો જણાવીશ - તમે એકાગ્ર મનથી સાંભળજો.
પ્રથમ ગાથામાં આઠ યંત્ર :
૧. નાવમ{--યંત્ર ।
આ યંત્રના પ્રભાવથી જનપ્રિયત્ન પ્રાપ્ત થાય છે.
૨. સૌમાન્ય-યંત્ર ।
આ યંત્રના પ્રભાવથી સૌભાગ્ય-વૃદ્ધિ થાય છે.
૩. હક્ષ્મીવૃત્તિ-યંત્ર |
આ યંત્રના પ્રભાવથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org